જૂનાગઢમાં લીલી પરિક્રમાની શરૂઆત થઈ છે. પરિક્રમા શરૂ થતા જ લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. લોકોની સંખ્યામાં વધારો થતા અમરેલી એસટી વિભાગ હરકતમાં આવ્યું છે. ટ્રેનમાં મુસાફરોની સંખ્યામાં વધારો થતા એસટી બસની વ્યવસ્થા કરવામાં આવી છે.
એસટી વિભાગ દ્વારા ધારીથી 3 વધુ બસો મુકવામાં આવી છે. મહત્વનું છે કે લોકોનો ધસારો થતા લોકો ટ્રેન પર બેસીને જોખમી મુસાફરી કરી રહ્યા હતા. ટ્રેન પર બેસતા કરંટ લાગતા એક શ્રદ્ધાળુનુ મોત થયું હતું. ત્યારે હવે એસટી વિભાગ દ્વારા બસોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
36 કિલોમીટર લાંબી લીલી પરીક્રમા
ગીરનારની લીલી પરીક્રમા 36 કિલોમીટર સુધી પગપાળા ચાલીને કરવામાં આવે છે. ત્યારે દેશભરમાંથી લાખોની સંખ્યા મા ભાવિકો જોડાય છે ગીરનારની લીલી છમ વનરાઇ વચ્ચે અને કુદરતી વાતવરણમા ભકિત સાથે પરિક્રમા કરવા પધારે છે જય ગીરનારીના નાદ સાથે સતત પરિક્રમા રૂટ ઉપર ભાવિકો નો ઘસારો જોવા મળી રહયો છે.