પુલવામાની ઘટનાથી સમગ્ર દેશમાં રોષ ફાટી નીકળ્યો છે. આતંકીઓ તેમજ પાકિસ્તાન સામે કડકમાં કડક પગલાં ભરવા દેશવાસીઓની માંગણી છે. ત્યારે જૂનાગઢના વેપારી યુવાને પગમાં પગરખાં ન પહેરવાની માનતા રાખી છે.
જૂનાગઢના બિયારણના મોટા વેપારીએ આશ્ચર્ય થાય તેવી ટેક લીધી છે. આ વેપારીએ પણ ઉઘાડ પગે રહેવાની માનતા રાખી છે. તો અમે આપને જણાવી દઈએ કે આ યુવાનનું નામ ખીમજીભાઈ રામ છે. જેને માનતા રાખી છે કે પુલવામા શહિદ થયેલા જવાનોનો બદલો લેવામાં નહીં આવે ત્યાં સુધી ઉઘાડ પગે ફરવાની ટેક લીધી છે.
દેશના વડાપ્રધાન પાસે માંગણી કરી છે કે 48 કલાક કરતા પણ વધારે સમય વીતી ગયો છે. તેમ છતાં માત્ર વતો જ કરી રહેલા રાજનેતાઓને આડે હાથ લીધા છે. શહીદોના પરિવારને આશ્વાસન આપી પાકિસ્તાનને જડ મૂળમાંથી ઉખાડી ફેંકવા યુદ્ધ જરૂરી છે. ત્યાં સુધી પોતે પગમાં ચપલ કે બુટ પહેરશે નહીં તેવી પ્રતિજ્ઞા લીધી છે.