રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે...હવે પક્ષો અને તેમના ઉમેદવારો લોકો વચ્ચે પ્રચાર માટે જઈ રહ્યા છે ત્યારે પક્ષપલટુ નેતાઓને જનતાના સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે...કેમકે, જનતાના મનમાં એ સવાલ ઊઠી રહ્યો છે કે, જે નેતા જનતાના મેન્ડેટના ના થયા એ જે તે પક્ષના કઈ રીતે થશે? જ્યારે જનતા સવાલ કરે છે કે તમે કોને પૂછીને અને કોના માટે પક્ષ બદલ્યો? ત્યારે આવા નેતાઓની કાંતો જીભ સિવાઈ જાય છે કાંતો ચૂપચાપ ચાલતી પકડવી પડે છે...કોને કરવો પડયો જનતાના સવાલોનો સામનો જોઈએ આ અહેવાલમાં...