પાકિસ્તાનની વધુ એક નાપાક અને હાસ્યાસ્પદ હરકત સામે આવી છે. પાકિસ્તાને જૂનાગઢના નવાબના વંશજ સુલતાન એહમદ અલીને જૂનાગઢના પ્રધાનમંત્રી (દીવાન) બનાવ્યા. 10 ડિસેમ્બરે ટ્વીટ કરીને વીડિયો શેર કર્યો હતો. પાકિસ્તાનની હરકત સામે સરકાર પગલાં લે તેવી જૂનાગઢવાસીઓની માગ કરી રહ્યા છે. જૂનાગઢ ભારતનો હિસ્સો હોવા છતા પાકિસ્તાને ગુસ્તાખી કરી છે.
પાકિસ્તાનની વધુ એક નાપાક હરકત
નવાબના વંશજને બનાવ્યા જૂનાગઢના પ્રધાનમંત્રી
જૂનાગઢવાસીઓમાં આક્રોશ
જૂનાગઢના નવાબના વંશજ પાકિસ્તાનમાં વસવાટ કરી રહ્યા છે અને ત્યાંથી જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવાના સપના જોતા રહે છે. જૂનાગઢ ગીરનારની પહાડીઓની તળેટીમાં વસેલું છે. ક્યારેક અહીં નવાબોનું શાસન હતું. પાકિસ્તાને પોતાના નક્શામાં જમ્મુ કાશ્મીરની સાથો સાથ જૂનાગઢ પર પણ દાવો ઠોકી દીધો, જેમાં નવાબ ખાનદાન ખુશ છે. જૂનાગઢના તથાકથિત નવાબ જહાંગીર ખાને પોતાના દીકરા અહમદ અલીને નવા 'દીવાન(વઝીર-એ-આઝમ)' નિયુક્ત કરી દીધા છે. જેને લઇને જૂનાગઢવાસીઓમાં આક્રોશ ફેલાયો છે અને સરકાર પાસે પગલાં લે તેવી માંગ કરી છે.
જોકે, આનાથી ન તો જૂનાગઢની સ્થિતિ પર કોઈ ફરક પડે છે અને ન તો પાકિસ્તાનને કંઇ મળવાનું છે. જહાંગીર ખાન વારંવાર કહેતા રહે છે કે, જૂનાગઢ પાકિસ્તાન બનશે. સાથે જ તેઓ ભારત પર ગેરકાયદે જૂનાગઢ પર કબજો કરવાનો આરોપ પણ લગાવતા રહે છે. તેમણે દોહરાવ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કહે છે કે જૂનાગઢ ભવિષ્યમાં પાકિસ્તાનમાં પાછું આવશે. 'દીવાન' અહમદ અલીએ પણ ભારતથી આઝાદી માંગ કરી.
તેણે એલાન કર્યું કે તેઓ જલ્દીધી એક અભિયાનની શરૂઆત કરશે, જેનાથી સમગ્ર દુનિયાને ખબર પડશે કે જૂનાગઢ ભારતનું નહીં, પરંતુ પાકિસ્તાનો ભાગ છે. જહાંગીર ખાને તો ભારતને કપટી અને બેવડા વલણ વાળો દેશ કહી દીધો. પાકિસ્તાનમાં આયોજિત એક કાર્યક્રમમાં આ બધા નાટક કરવામાં આવ્યા. આ પહેલા એક ઇન્ટરવ્યૂમાં જહાંગીર ખાને કહ્યું કે, ભારત સતત અલ્પસંખ્યકોના હિતોની અનદેખી કરી રહ્યું છે.
તેમણે આરોપ લગાવ્યો કે ભારતીય સેનાએ 1947માં ગેરકાયદે જમ્મુ કાશ્મીર પર કબજો કરી લીધો હતો. તેમણે સંયુક્ત રાષ્ટ્રના પ્રસ્તાવના હિસાબથી કાશ્મીર સમસ્યાના ઉકેલની વાત કરી. નવાબોના આ વંશજ ભારતના ડરથી ભાગીને કરાચીમાં રહે છે. જહાંગીરે દાવો કર્યો કે તત્કાલીન નવાબ મહાબટ ખાન IIIએ કથિત જૂનાગઢ સ્ટેટ કાઉન્સિલની સહમતિ બાદ રાજ્યને ભારતમાં મેળવવાનું એલાન કર્યું હતું.
તેમણે દાવો કર્યો કે જૂનાગઢમાં ભારતે ખોટું રેફેરેન્ડમ કરાવ્યું અને બાકી કામ ભારતીય સેનાએ કરી દીધું. તેઓ બલૂચિસ્તાન સરકારના મોટા નેતાઓને મળીને આ રટ લગાવતા રહે છે. પાકિસ્તાને પોતાના નકશામાં જૂનાગઢ સહિત ગુજરાતના કેટલાક વિસ્તાર પર દાવો ઠોક્યો છે. તેમણે કહ્યું કે, બંદૂકની અણી અને જૂનાગઢને છીનવી લેવાયું. સાથે જ તેમણે જમ્મુ કાશ્મીરમાં પણ રેફેરેન્ડમની માંગ કરી અને દાવો કર્યો કે આનાથી બધુ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જશે. પાકિસ્તાનીઓને જૂનાગઢ પર દાવો ઠોકતા ટ્વિટ પણ કર્યા.
અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદ ભારતમાં રજવાડાઓના વિલિનીકરણની જવાબદારી સરદાર વલ્લભભાઇ પટેલને સોંપવામાં આવી હતી. તેમણે હૈદરાબાદ, જૂનાગઢ જેવી ગુંચવણભર્યા રજવાડાઓને પણ સરળતાથી ભારતમાં વિલય કરાવ્યો હતો અને સૌનું એ માનવું હતું કે, જો જમ્મુ કાશ્મીરનો મુદ્દે તેમના હાથમાં હોત તો તે સમયે પણ સમાધાન કરી લેત. પરંતુ તત્કાલિન પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરૂએ સમગ્ર વિવાદ પોતાના હાથમાં લઇ લીધો હતો.