જૂનાગઢમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમિકાને ભરબજારે છરાના ઘા મારી પ્રેમી સરેઆમ હત્યા કરી દીધી હતી. ઘટનાને પગલે ચકચાર મચી ગઈ હતી.
જૂનાગઢમાં ચકચારી ઘટના
પૂર્વપ્રેમીએ પ્રેમિકાની કરી નિર્મમ હત્યા
જાણો શું હતો મામલો
જૂનાગઢના દૌલતપરા GIDC વિસ્તારમાં મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. શાક લેવા ગયેલી 30 વર્ષીય પરિણિતાની પૂર્વ પ્રેમીએ બજારની વચ્ચે જ છરીના ઘા ઝીંકીને તેની હત્યા કરી હતી.
અમરેલીના લાઠી શહેરમાં રહેતી પરણિતાની તેના જ પૂર્વ પ્રેમીએ 10 જેટલા છરાના ઘા મારીને હત્યા કરી નાંખી છે. સંજય ગોસ્વામી નામના શખ્સે ભાવના સોનું ગોસ્વામી નામની મહિલાના જાહેરમાં હત્યા કરી હતી. મહિલાનું ઘટના સ્થળે જ મોત થયુ હતુ. ભાવના સોનુ ગોસ્વામીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
શું હતો મામલો
ભાવના અને સંજય વચ્ચે ભૂતકાળમાં સુંવાળા સંબંધો રહ્યા હતા પરંતુ ભાવનાએ સંજય સાથે બ્રકઅપ કરી લેતા સંજયથી આ સહન નહોતું થયુ. હત્યા કર્યા બાદ આરોપી સંજય તેના મૃતદેહ પાસે જ બેસી રહ્યો હતો. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તેની ધરપકડ કરી હતી.
તૂટેલા સંબંધોને ફરીથી શરૂ કરવા માટેના સતત પ્રયત્ન કરતો હતો
મૃતક ભાવના સોનુ ગોસ્વામીના ભાઈ ભરત શેખે નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્ન પછી ભાવના અમરેલીના વતન બગસરાથી લાઠી સ્થળાંતર કર્યા બાદ 2012-13માં સંજય સાથે સંપર્કમાં આવી હતી. 18 મહિના પહેલા સુધી બંનેના સંબંધ હતા. ભાવનાએ પતિથી છૂટાછેડા લીધા બાદ તે બગસરામાં તેના માતા-પિતાને ઘરે રહેવા આવી હતી. ફરિયાદમાં જણાવાયું છે કે સંજય ભાવનાને તેમના તૂટેલા સંબંધોને ફરીથી શરૂ કરવા માટેના સતત પ્રયત્ન કરતો હતો, પરંતુ ભાવનાએ ના પાડી હતી.
સોનું ગોસ્વામી સાથે બંધાયા સંબંધો
સોશિયલ મીડિયાના માધ્યમથી 9 મહિના પહેલા જૂનાગઢના સોનુ ગૌસ્વામી સાથે સંપર્કમાં આવી હતી. અને બાદમાં બંને લિવ ઈન રિલેશનશીપમાં રહેતા હતા. સોમવારે સંજય જૂનાગઢ આવ્યો હતો અને ભાવનાને તેની સાથે આવવાનું કહ્યું હતું. પરંતુ ભાવનાએ તેની સાથે જવાની ના પાડતા સંજયએ છરીના 10 જેટલા ઘા મારીને તેની બજારની વચ્ચે હત્યા કરી હતી.