જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશને મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં શહેરમાં નવા રોડ બનતાની સાથે લોકોને તેની જાણકારી પણ મળશે. રોડના ટેન્ડર પાસ થતાંની સાથે લોકોને રોડની જાણકારી મળશે. જેમાં કોન્ટ્રાક્ટરનું નામ, રોડની વિગતો, ટેન્ડરની શરતો, મુદત ગેરંટી પીરીયડ, કોન્ટ્રાક્ટર, એજન્સીના માલિક, સુપરવાઈઝર, મનપાના ચીફ ઈજનેર, સાઈટ ઈજનેરનું નામ અને એજન્સીના નંબરની જાણકારી પણ લોકોને આપવામાં આવશે.
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય
શહેરમાં નવા રોડ બનતાની સાથે લોકોને મળશે તેની જાણકારી
રોડના ટેન્ડર પાસ થતાંની સાથે લોકોને રોડની મળશે જાણકારી
જૂનાગઢના મેયરનો ઐતિહાસિક નિર્ણય આગામી સમયમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં અંદાજિત 20 કરોડ કરતાં વધુના ખર્ચે માર્ગોનું નવીનીકરણ અને સમારકામ થવા જઈ રહ્યું છે. ત્યારે આ માર્ગોમાં કોઈપણ પ્રકારની ગેરરીતિ ન થાય અને જે નિયમો મુજબ માર્ગો બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે તે તમામ વિગતો જાહેર કરવામાં આવશે. જો કોઇપણ કામમાં ગેરરીતિ કે કામ નબળું થતું હોય તેવા કિસ્સામાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારી અને પદાધિકારીનો સંપર્ક કરવા જૂનાગઢની જનતાને જાહેર આહ્વાન કર્યું છે.
જૂનાગઢ મનપાના મેયરનો ઐતિહાસિક નિર્ણય
જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના મેયર અને શહેરના પ્રથમ નાગરિક ધીરુ ગોહિલનો આવકારદાયક અને ઐતિહાસિક નિર્ણય છે. ત્યાંથી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનની રચના કરવામાં આવી છે. ત્યારથી લઈને આજદિન સુધી જાહેર કામોમાં પારદર્શિતા બની રહે તે માટે કામોની વિગત જાહેરમાં પ્રદર્શિત કરવાનો સૌ પ્રથમ વખત નિર્ણય કરવામાં આવ્યો છે. મેયરે તમામ કામોમાં પારદર્શિતા બની રહે અને કામ તેના યોગ્ય ધારાધોરણ મુજબ આગળ વધી શકે તે માટે જાહેરમાં કોન્ટ્રાક્ટર અને કંપનીના નામ અને નંબર તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓનો નંબર અને કામની વિગત સહિત તમામ માહિતીઓ જે તે કામના સ્થળે જાહેરમાં પ્રદર્શિત થાય તે પ્રકારે લગાવવાનો નિર્ણય કર્યો છે.
હવે રોડ રસ્તા સારા રહેશે
આમ કરવાથી પ્રજાનો વિશ્વાસ કામ પ્રત્યે વધુ ગાઢ બનશે અને જે કામ ચાલી રહ્યું છે તે કામની ગુણવત્તાથી લઈને નબળા કામ સુધીની તમામ ફરિયાદો મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને પદાધિકારીઓને સિદ્ધિ મળી જશે. જેને લઇને રોડ કે અન્ય કામ કરતા કોન્ટ્રાક્ટર અને કંપનીઓને યોગ્ય કામ કરવાની સૂચનાઓ આપી શકાય.
લોકોને પણ હવે આગળ આવવા જૂનાગઢના મેયરે કરી વિનંતી
વધુમાં મેરે કહ્યું હતું કે જે જાહેર માર્ગોનું કામ શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે લોકો પણ આ કામનું નિરીક્ષણ કરે પોતાની ભાગીદારી તેમાં વ્યક્ત કરે અને કોઈપણ કિસ્સામાં કામ નબળું થતું હોય અથવા તો ગુણવત્તાયુક્ત સામાન વાપરવામાં ન આવતો હોય. આવું તેમના ધ્યાન પર આવે તો તાકીદેના અધિકારી પદાધિકારીનો સંપર્ક કરે, જેથી કરીને આવી અને નિયમિતતા અને ગેરરીતિ ને રોકી શકાય. સાથે પ્રજાના કરોડોના રૂપિયે બની રહેલા માર્ગો વધુ ટકા અને સારા બની શકે તે માટે લોકોને પણ હવે આગળ આવવા જૂનાગઢના મેયર ધીરુ ગોહિલે વિનંતી કરી છે. જૂનાગઢ મેયર અને મનપાના આ નિર્ણયને VTV ન્યૂઝ બિરદાવે છે. ત્યારે આવો નિર્ણય અન્ય પાલિકાઓએ પણ લેવો જોઇએ.