કોંગ્રેસના ધારાસભ્યની વિકાસકાર્યોની ગ્રાન્ટ જૂનાગઢ મહાપાલિકા નામંજૂર કરતી હોવાના જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ ગંભીર આક્ષેપ કર્યો છે.
જૂનાગઢમાં નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ ગયાં
ઠેર-ઠેર ગટરના કામ માટે રસ્તાઓ ખોદી નાખ્યા
MLAએ ગ્રાન્ટને લોકભાગીદારી યોજનામાં ડાયવર્ટ કરી
કોંગ્રેસના MLA દરખાસ્ત કરે તો ભાજપના સત્તાધિશો કરે નામંજૂર!
કોંગ્રેસના MLA દરખાસ્ત કરે તો ભાજપના સત્તાધિશો કરે નામંજૂર કરતા હોવાના જૂનાગઢના ધારાસભ્ય ભીખાભાઈ જોશીએ આક્ષેપો કર્યા હતા. જેના બોલતા પુરાવા રૂપે જુનાગઢ શહેરના રસ્તાઓમાં ગટરના કામ અધુરા મુકી દેવાયા છે. સોસાયટીઓમાં ગટરના કામ માટે રસ્તાઓ ખોદી નાખ્યા બાદ ફરી રસ્તાઓ જ બનાવાયા ન હોવાથી લોકોમાં રોષ ફેલાયો છે. જ્યારે અનેક જગ્યાઓ પર અધુરા વિકાસના કારણે નજીવા વરસાદમાં જ પાણી ભરાઈ ગયાં છે અને આ તમામ જગ્યાઓની હાલત એટલા માટે ખરાબ છે, કારણ કે, કોંગ્રેસના ધારાસભ્યએ સ્ટેન્ડિંગ કમિટીમાં કરેલી રોડ-રસ્તાની દરખાસ્તને ભાજપ શાષિત મહાનગરપાલિકાએ નામંજૂર કરી દીધી છે. અને ચોમાસું આવી જવા છતાં અહીં રસ્તાઓના ઠેકાણા નથી.
મહાનગરપાલિકા કેમ મંજૂર નથી કરતી MLAની દરખાસ્ત?
કોઈપણ ધારાસભ્યને દોઢ કરોડની ગ્રાન્ટ મળે છે. આ ઉપરાંત જૂનાગઢના ધારાસભ્ય વધારાની 2 કરોડ ગ્રાન્ટ રસ્તાઓના નવીનીકરણ માટે સરકારમાંથી મંજૂર કરાવી લાગ્યા છે. આ ગ્રાન્ટને તેમણે લોકભાગીદારી યોજનામાં ડાયવર્ટ કરતાં તેવામાં આ 20 ટકા ગ્રાન્ટમાં 10 ટકા રકમ કોર્પોરેશન સ્વ-ભંડોળમાંથી ભરે એટલે રાજ્ય સરકાર 70 ટકા ગ્રાન્ટ ફાળવે છે આમ સીધી રીતે રસ્તાઓના નવીનીકરણ માટે 10 કરોડની ગ્રાન્ટ મંજૂર થાય તેમ છે. તેવામાં જો આ 10 કરોડ રૂપિયાને મંજૂરી મળે તો જૂનાગઢની તમામ શેરીઓના સી.સી.રોડ બની જાય તેવી સ્થિતિ છે. પરંતુ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના શાસકો બહુમતીના જોરે ધારાસભ્યની દરખાસ્તને નામંજૂર કરે છે.. જેના કારણે જનતાને મુશ્કેલીઓ વેઠવાનો વારો આવ્યો છે..
જનતાના વિકાસ માટેના કાર્યોમાં રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ
ભાજપના સત્તાધિશો વિકાસ કોને કહે છે? કેમ ધારાસભ્યની દરખાસ્તને નામંજૂર કરવામાં આવે છે? શું કોંગ્રેસના ધારાસભ્ય દરખાસ્ત કરે છે એટલે નામંજૂર થાય છે? શું ભાજપના સત્તાધિશોને જૂનાગઢના લોકોના વિકાસમાં રસ નથી? જૂનાગઢના લોકો કાદવમાં ચાલવા મજબૂર છે તેને વિકાસ કહો છો? શા માટે સીસીરોડ માટેની ગ્રાન્ટ મંજૂર ન કરાઈ? સવાલો અનેક છે.અને હવે જૂનાગઢની જનતા તેનો જવાબ પણ ઈચ્છે છે. ત્યારે આશા રાખીએ કે, કોર્પોરેશનમાં સત્તામાં બેઠેલા નેતાઓ પોતાની મનમાની બંધ કરી જનતાના વિકાસનું વિચારે. જનતાના વિકાસ માટેના કાર્યોમાં રાજનીતિ કરવાનું બંધ કરવું જોઈએ તેવું લોકોમાં ચર્ચાઇ રહ્યું છે.