દેશભરમાં કોરોનાવાયરસની મહામારીના કહેરને લઇને લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે હવે દેશમાં અનલોક સાથે ઘણા નિયમોમાં છૂટછાટ આપવામાં આવી રહી છે. ત્યારે અનલોક-5માં ગુજરાતના સાસણ ગીરમાં આવેલા દેવળીયા સફારી પાર્કને ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આમ પ્રવાસીઓ હવે આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે.
સાસણ ગીરમાં આવેલા દેવળીયા સફારી પાર્ક ખુલ્લું મુકાશે
પ્રવાસીઓ આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે
આજથી જૂનાગઢ પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય ખુલશે
અનલોક-5ના નિયમોની છૂટછાટ અનુસાર હવે આજથી જૂનાગઢમાં એશિયાટિક સિંહોને નિહાળી શકાશે. ઉલ્લેખનીય છે કે 17 માર્ચથી સફારી પાર્ક અને ઝૂ બંધ હતા.
ત્યારે હવે સાસણગીરમાં આવેલ દેવળીયા સફારી પાર્ક ખુલ્લું મુકાશે. આ સાથે પ્રવાસીઓ આજથી એશિયાટિક સિંહોને નિહાળી શકશે. આ સાથે આજથી જૂનાગઢનું પ્રખ્યાત પ્રાણી સંગ્રહાલય પણ ખુલુ કરવામાં આવશે.
કોવિડ-19ને લઇને 17 માર્ચથી સફારી પાર્ક અને ઝૂ બંધ હતા. જો કે સરકારની ગાઇડલાઇનનું પ્રવાસીઓએ પાલન કરવું પડશે. જેમાં 10 વર્ષથી નાના બાળકો, 65 વર્ષથી ઉપરના વૃદ્ધને પ્રવેશ આપવામાં આવશે નહીં.
જ્યારે સાસણ ગીરમાં સફારી ગાડીમાં 6 વ્યક્તિની જગ્યાએ હવે 3 પ્રવાસીને બેસાડાશે, જ્યારે બસમાં 22 લોકો બેસતા હતા તેની જગ્યાએ 11 લોકો બેસશે.