આકાશમાંથી ધમધોખતા આ તડકાથી માત્ર મનુષ્ય જ નહીં પણ પરંતુ જંગલના રાજા પણ ત્રાસી ગયા છે. ગરમીનું પ્રમાણ એટલું વધી ગયું છે કે એશિયાટીક સિંહોના જંગલમાં પણ હવે પાણીના સ્ત્રોતો નથી રહ્યા. એ જ કારણ છે કે હવે વનરાજા પીવાના પાણીની શોધમાં ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવેશી રહ્યા છે. ત્યારે એક ગીરગઢડાના દ્રોણેશ્વર પાસે અને જસાધાર રેન્જ પાસે એક સિંહનું મોત થતા વનવિભાગે તપાસ હાથધરી છે.
ગીરગઢડાના દ્રોણેશ્વર પાસે વધુ એક સિંહના મોતની ઘટના સામે આવી છે. 5 વર્ષીય સિંહનો મૃતદેહ મચ્છુન્દ્રી નદીના કાંઠેથી મળી આવ્યો છે. આ સિંહના શંકાસ્પદ મોતના પગલે વનવિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. મહત્વનું છે કે 2 દિવસમાં વધુ એક સિંહનું મોત નિપજતા વનવિભાગમાં હડકંપ મચ્યો છે.
બે દિવસમાં અગાઉ એક સિંહનું થયું હતું મોત
બે દિવસ અગાઉ જૂનાગઢના ધારી ગીર પૂર્વમા જસાધાર રેન્જ પાસેથી પણ સિંહનો મૃતદેહ મળ્યો હતો. મચ્છુન્દ્રી ડેમ પાસેથી 4થી 5 વર્ષનો સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે સિંહનું મોત બે દિવસ પહેલા થયું હોવાનું વન વિભાગે અનુમાન કર્યુ હતું.
જોકે આ સિંહના દેહ પર કોઇ ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. તેમના તમામ નખ પણ સલામત હતા. ત્યારે હવે સિંહના મોતનું કારણ જાણવા માટે પીએમ રિપોર્ટ કરવામાં આવશે.