જૂનાગઢમાં ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ થઇ ચૂક્યો છે. લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડતાં 1 દિવસ પહેલા પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. લીલી પરિક્રમાને લઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જ્યારે ભક્તો માટે ખાસ વ્યવસ્થાનું તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.
1 દિવસ પહેલા ગીરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ
તંત્ર દ્વારા લીલીપરિક્રનો 24 કલાક અગાઉ કરાઇ શરૂઆત
એક દિવસ પહેલા લીલી પરિક્રમાનો કરાયો પ્રારંભ
જૂનાગઢમાં તંત્ર દ્વારા લીલીપરિક્રમાં 24 કલાક અગાઉ પ્રારંભ કરવામાં આવ્યો છે. આગવી પરિક્રમા કરવા ભાવિકોનું ઘોડા પુર હોવાથી 7 નવેબરથી યાત્રા પરિક્રમા શરૂ કરવામાં આવી છે.
જૂનાગઢની લીલી પરિક્રમાનો વિધિવત રીતે 8 નવેમ્બરથી પ્રારંભ કરવામાં આવનાર છે. આ વર્ષે તમામ રૂટના રસ્તાઓ બનાવી નાંખવામાં આવ્યાં છે. વન્ય પ્રાણીને પરિક્રમા રૂટ પરથી દૂર કરવામાં આવ્યાં છે.
ભાવિકો માટે અન્ન ક્ષેત્રની મંજૂરી
લીલી પરિક્રમાને લઇને ભાવિકાનો ઘોડાપુરને લઇને તંત્ર દ્વારા 80 જેટલા અન્નક્ષેત્રને મંજૂરી આપવામાં આવી છે. જેમાં અન્નક્ષેત્ર દ્વારા ભાવિક ભક્તો માટે અન્નક્ષેત્રની શરૂઆત કરી દેવામાં આવી છે.
અન્નક્ષેત્ર દ્વારા ભાવિક ભક્તો માટે પીવાના પાણીની વ્યવસ્થા પૂર્ણ કરવામાં આવી છે. જો કે ભક્તોના ઘોડાપુરને લઇને એક દિવસ અગાઉ પરિક્રમા શરૂ કરવામાં આવી. જેથી કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે નિર્ણય લેવામાં આવ્યો.