માળિયાના ખોરાસા ગામમાં જવાહર હાઇસ્કૂલ જર્જરિત હાલતમાં
વિદ્યાર્થીઓ બહાર બેસી ભણવા મજબૂર
PM મોદી લેશે 'વિદ્યા સમીક્ષા કેન્દ્ર'ની મુલાકાત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ત્રણ દિવસ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે તેઓ વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લેવાના છે. ત્યારે VTV દ્વારા જૂનાગઢ જિલ્લાની શાળાઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું. જેમાં જૂનાગઢના માળિયાના ખોરાસા ગામમાં જવાહર હાઇસ્કૂલ જર્જરિત હાલતમાં જોવા મળી હતી. આ હાઇસ્કૂલ જે-તે સમયે જૂનાગઢની શ્રેષ્ઠ શાળા માનવામાં આવી હતી.
આ હાઇસ્કૂલમાં માત્ર 4થી 5 વર્ગખંડો બાળકોને બેસવા યોગ્ય
અહીં 700થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને 15થી 17 વર્ગખંડો હતા. જો કે હાલ આ હાઇસ્કૂલમાં માત્ર 4થી 5 વર્ગખંડો બાળકોને બેસવા યોગ્ય બચ્યા છે. અન્ય વર્ગખંડો ધરાશાયી થઇ ગયા છે. હાઇસ્કૂલમાં વર્ગખંડની સાથે-સાથે ઓફિસ અને સ્ટાફ રૂમ પણ ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે. આ સાથે શિક્ષકોની પણ ઘટ હોવાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે.
હાલ તો વિદ્યાર્થીઓને વૃક્ષ નીચે બેસાડીને ભણાવવામાં આવી રહ્યાં છે. પરંતુ ચોમાસામાં બાળકોને રજાઓ આપવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે. જેથી વાલીઓ તગડી ફી ભરીને બાળકોને પ્રાઇવેટ શાળાઓમાં ભણાવવા મજબૂર બન્યા છે. ત્યારે આ હાઇસ્કૂલને ફરીથી બનાવવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે.
Upon reaching Gujarat tomorrow, I will visit the Vidya Samiksha Kendra. This modern centre leverages data and technology in order to improve learning outcomes. I will also interact with those who are working in the education sector.
વડાપ્રધાન મોદી આજે ગાંધીનગર સ્થિત શિક્ષણક્ષેત્રે વૈશ્વિક કક્ષાના રિયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ-વિદ્યા સમીક્ષા કેન્દ્રની રૂબરૂ મુલાકાત લેશે. વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે મોનિટરિંગ રૂમમાંથી રાજ્યના વાલીઓ, વિદ્યાર્થીઓ, શિક્ષકો, બીઆરસી, સીઆરસી અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી વગેરે સાથે સીધો ઈ-સંવાદ કરીને વડાપ્રધાન શિક્ષણક્ષેત્રે જરૂરી માર્ગદર્શન આપશે.
જે-તે સમયે જૂનાગઢની શ્રેષ્ઠ હાઇસ્કૂલ માનવામાં આવતી
તમને જણાવી દઇએ કે, જૂનાગઢ જિલ્લામાં સરકારી અનેક શાળાઓ એવી છે કે જ્યાં બાળકો જીવના જોખમે અભ્યાસ કરતા હોય છે ત્યારે વટ્વ દ્વારા જૂનાગઢ જિલ્લાના માળીયા તાલુકાના ખોરાસા ગામમાં આવેલી જવાહર હાઇસ્કૂલની હાલત પણ ખૂબ જ દયનીય અને જર્જરિત જોવા મળી હતી. આ હાઇસ્કૂલ જે-તે સમયે જૂનાગઢની શ્રેષ્ઠ હાઇસ્કૂલ માનવામાં આવતી હતી.
આ હાઇસ્કૂલના વર્ગખંડની સાથે-સાથે શાળાની ઓફિસ અને સ્ટાફરૂમ પણ ગમે ત્યારે પડી ભાંગે તેવી સ્થિતિમાં જોવા મળી રહ્યાં છે ત્યારે ઓફિસમાં રહેલ જરૂરી દસ્તાવેજોને પણ ચોમાસામાં તાલપત્રીથી ઢાંકી રાખવાની ફરજ પડે છે અને ચોમાસામાં વરસાદ આવે ત્યારે બાળકોને ભણાવી શકાય તેવી પણ સગવડ કરવામાં આવી રહી નથી. ત્યારે આખું વર્ષ તો વિદ્યાર્થીઓ બહાર ઝાડ નીચે બેસી ભણી શકે છે પરંતુ ચોમાસામાં એક જ વર્ગખંડમાં બાળકોને ગીચોગીચ બેસાડીને ભણાવવા પડતા હોય છે અથવા તો ભણતર બગાડીને રજાઓ આપવી પડતી હોય છે.
જૂનાગઢ જિલ્લામાં VTV દ્વારા રિયાલિટી ચેક કરતા ખોરાસા ગામની જવાહર હાઇસ્કૂલ ખૂબ જ દયનીય અને જર્જરિત હાલતમાં જોવા મળી હતી. અહીં સાંસદ દ્વારા તકતી લગાડવા જાણે ઉપકાર કરતા હોય તેમ એક વર્ગખંડ બનાવી આપવામાં આવ્યો છે અને બાકીના વર્ગખંડ હવે કોણ અને ક્યારે બનાવશે તે પણ ખબર નથી. ત્યારે આવી સ્થિતિમાં વાલીઓને વિદ્યાર્થીને મોટી તગડી ફી ભરી પ્રાઇવેટ શાળાઓમાં અભ્યાસ કરવા મોકલવાની ફરજ પડી છે. ત્યારે સરકારના સરકારી શાળાના મફત શિક્ષણ અને ડિજિટલ ઇન્ડિયાના દાવા ફોગટ સાબિત થઈ રહ્યાં છે.
प्रधानमंत्री जी! विद्या समीक्षा केंद्र के मॉडर्न सेंटर से शायद इन स्कूलों की तस्वीर आपको न दिखें जहां बैठने के लिए डेस्क नहीं है, मकड़ी के जाले ऐसे लगे हैं जैसे बंद कबाड़ख़ानों में होते हैं, टॉयलट टूटे पड़े हैं… मैंने खुद गुजरात के शिक्षामंत्री के क्षेत्र में ऐसे स्कूल देखे हैं https://t.co/sEiCJvFsRwpic.twitter.com/YjRYVAjjqT
અત્રે તમને જણાવી દઇએ કે, દિલ્હીના ડેપ્યુ. સીએમ મનીષ સિસોદિયાએ આજે ટ્વિટ કરીને લખ્યું હતું કે, 'વડાપ્રધાન! વિદ્યા સમીક્ષા કેન્દ્રના મોડર્ન સેન્ટરમાંથી આ શાળાઓનું ચિત્ર કદાચ તમને નહીં દેખાય. ત્યાં બેસવા માટે ડેસ્ક નથી, બંધ જંકયાર્ડમાં કરોળિયાના જાળા છે, શૌચાલય પણ તૂટેલાં છે. મે પોતે ગુજરાતના શિક્ષણમંત્રીના ક્ષેત્રમાં આવી શાળાઓ જોઈ છે.' ઉલ્લેખનીય છે કે રાજકોટમાં શિક્ષણમંત્રી જિતુ વાઘાણીએ એવું નિવેદન આપ્યું હતું કે, 'ગુજરાત જેને ન ગમતું હોય તેઓ ગુજરાત છોડી શકે છે.'