ગીરમાં વસતા સિંહોના સંરક્ષણ મુદ્દે જૂનાગઢ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ. વન વિભાગે રેન્જ આઈ.જી કક્ષાના અધિકારીઓ સાથે આ બેઠક યોજી હતી. આ બેઠકમાં PGVCL પોલીસ સહિતના વિભાગોના અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. વન વિભાગ દ્વારા આ બેઠકમાં તમામ અધિકારીઓ સાથે સિંહના મોત અને બચાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 2 વર્ષમાં કેટલાય સિંહોના મોત થયાં છે તો ક્યારેક સિંહ રેલ્વે ટ્રેક પર ફરતા જોવા મળ્યા હતા તો ક્યારેક રોડ પર ફરતા જોવા મળ્યા હતા ત્યારે ક્યારેક સિંહો સાથે કોઇ અઘટિત બનાવો પણ બનતા હોય છે.
તો તાજેતરમાં એક એવો VIDEO પણ વાયરલ થયો હતો જેમાં કેટલાક તત્વો દ્વારા સિંહની પજવણી કરવામાં આવી રહી હતી. આવી અસામાજીક પ્રવૃત્તિ કરતા લોકો સામે દંડાત્મક પગલા લેવામાં આવે તે બાબતે આ બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.