આપણી પ્રાચીન સંસ્કૃતિ મધ્યકાલીન સંસ્કૃતિ અને ગ્રામ્ય સંસ્કૃતિ દિવસે દિવસે લુપ્ત થતી જાય છે. ત્યારે જૂનાગઢમાં ફરીવાર આ સંસ્કૃતિને ઉજાગર કરી શહેરોમાં રહેતા લોકો સુધી પહોંચાડી છે. સોરઠ ઈન્ટર નેશનલ સ્કૂલમાં સૌરાષ્ટ્રની રંગધારાનું બે દિવસીય પ્રદર્શન યોજાયું હતું.
રંગધારામાં વિવિધ ચિત્રો મુકાયા હતા. આ બે દિવસના પ્રદર્શનમાં હજારો લોકોએ રંગધારાને નિહાળી હતી. ચિત્રકાર સામત ગરેજાના બનાવેલા ચિત્રો પ્રદર્શનમાં મુકાયા હતા અને બનાવેલા ચિત્રોમાં ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવાઈ હતી.
ઉલ્લેખનીય છે કે આ પ્રદર્શન અંગે મળેલી જાણકારી અનુસાર આપણી પ્રાચીન સંસ્કૃતિ મધ્યકાલીન સંકૃતિ અને ગ્રામ્ય સંસ્કૃતિ દિવસે દિવસે લુપ્ત થતી જાયછે. ત્યારે ફરીવાર આ સંસ્કૃતિને લોકહૈયે ધબકતી રાખવા માટે તાજેતરમાં જુનાગઢ ખાતે એક ચિત્ર પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ. પરંપરાને જીવાડી રાખવા માટે યોજવામાં આવેલ આ એક પ્રદર્શનમાં જુનાગઢની જનતાએ મન ભરીને પ્રાચીન પરંપરાને માણી હતી.
આ અંગે ચિત્રકારે વીટીવી સાથે ખાસ વાતચીત કરતા જણાવેલ કે હાલની સ્થિતિ મુજબ ગામના લોકો દિવસે વિચરતા જાયછે શહેર તરફ લોકો દોટ મુકતા હોય છે. મારા હાથથી બનાવેલા ચિત્રોમાં પણ ગ્રામ્ય સંસ્કૃતિ દર્શાવેલી દેખાય આવે છે. તો આ ચિત્રો મોટી સંખ્યામાં લોકો નિહાળે અને તેમાંથી ઉદ્દેશ લઇ શકે કે ગામડા ગામની વચ્ચે લોકો રહી કેવું સારું જીવન ગુજારતા હતા.