જૂનાગઢમાં તૂટેલા રોડથી ત્રાસેલા એક નાગરિકે દાખલો બેસાડ્યો છે. તૂટેલા રોડથી ત્રાસેલી પ્રજાનો અવાજ સરકાર સાંભળે તો સારૂ. જૂનાગઢમાં ખાડાના કારણે 85 હજાર નુકસાન બદલ કમિશનરને નાગરિકની નોટિસ સામે આવી છે.
તૂટેલા રોડથી ત્રાસેલી પ્રજાનો અવાજ સરકાર સાંભળે
જૂનાગઢમાં તૂટેલા રોડથી ત્રાસેલા એક નાગરિકે દાખલો બેસાડ્યો
જૂનાગઢમાં ખાડાના કારણે 85 હજાર નુકસાન બદલ કમિશનરને નાગરિકની નોટિસ
જૂનાગઢમાં તૂટેલા રોડથી ત્રાસેલા એક નાગરિકે દાખલો બેસાડ્યો છે. તૂટેલા રોડથી ત્રાસેલી પ્રજાનો અવાજ સરકાર સાંભળે તો સારૂ. જૂનાગઢમાં ખાડાના કારણે 85 હજાર નુકસાન બદલ કમિશનરને નાગરિકની નોટિસ સામે આવી છે. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને એક નાગરિકે નોટિસ ફટકારી છે.
બંધારણ અંતર્ગત જીવન જીવવાના અધિકારને ભોગવવાને ધ્યાનમાં લઈને મનપા કમિશનરને નોટીસ ફટકારી છે. જૂનાગઢમાં ખાડાને કારણે માનસિક તાણ અનુભવતા નોટિસ ફટકારી હતી.
શું કહે છે નાગરિક
જૂનાગઢના નાગરિકે તુષાર સોજીત્રાએ કમિશનરને સવાલ કર્યા છે. તુષાર સોજીત્રા કહે છે કે મપના કમિશનર ગ્રાહકને સેવા આપવા બંધાયેલા છે. સોજીત્રાનો સવાલ, અમારી પાસેથી વાહન ખરીદતી વખતે ટેક્સ લો છો તો સેવા આપવા જવાબદાર નથી? જો ટેક્સ લો છો તો અમને ગ્રાહકોને તમે સેવા આપવા જવાબદાર છે.
કમિશનર પાસેથી સોજીત્રાએ કુલ 85 હજારનું વળતર માગ્યુ
ગુજરાત હાઈકોર્ટના એક ચૂકાદાને ટાંકીને સોજીત્રાએ વળતર માંગ્યુ છે. ખાડાને કારણે માનસિક આઘાત અનુભવવાનું વળતર 10 હજાર રૂપિયા માંગ્યુ છે. એટલું જ નહીં મહાનગરપાલિકાની સેવામાં ખામીનું 20 હજાર વળતર આપો. ખાડાથી શરીરમાં પીડા થઈ તો દવાખાના માટે 50 હજારનું વળતર આપો. નોટિસ ફટકારવા માટે કાનૂની ફી પણ કમિશનર પાસેથી વળતર પેટે માગી છે. કમિશનર પાસેથી સોજીત્રાએ કુલ 85 હજારનું વળતર માગ્યુ છે. કમિશનર જવાબ નહી આપે તો 15 દિવસમાં નાગરિક કોર્ટમાં જશે તેમ પણ જણાવ્યું છે.