જૂનાગઢમાં પરંપરાગત ભવનાથના મેળાની શરૂઆત થઈ ગઈ છે પણ સામાન્ય માણસને આ મેળામાં પ્રવેશ નહીં મળે.
જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ
સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું
ભવનાથ મંદિરમાં ધ્વજારોહણથી મેળાનો પ્રારંભ
જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ કરાવવામાં આવ્યો છે. સાધુ સંતોની ઉપસ્થિતિમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું છે. ભવનાથ મંદિરમાં ધ્વજારોહણથી મેળાનો પ્રારંભ કરાવ્યો છે. 5 દિવસ સુધી શિવરાત્રીનો મેળો ચાલશે. સામાન્ય લોકોને મેળામાં આવવાની મનાઇ છે. સાધુ સંતો મેળાની ઉજવણી કરશે.
જૂનાગઢમાં મહા શિવરાત્રી મેળાનો વિધિવત પ્રારંભ
વિશ્વ પ્રસિદ્ધ ભવનાથ મહાદેવ મંદિરના સાનિધ્યમાં સદીઓથી યોજાતા મહાશિવરાત્રીના મેળાનો આજે ધ્વજારોહણ સાથે પ્રારંભ થયો છે આજે સવારે 10 વાગે જુના અખાડા અને ભવનાથ મહાદેવ મંદિર ઉપર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું આ સમયે ભવનાથ મહાદેવમંદિરના મહંત હરીગીરી મહારાજ મહામન્ડલેશ્વર વિશ્રમ્ભર ભારતીમહારાજ ઇન્દ્રભારતીબાપુ શેરનાથબાપુ સહિતના સંતો ઉપસ્થિત રહયા હતા.
સાધુ સંતો મેળાની ઉજવણી કરશે.
પ્રથમ ધ્વજારોહણ ભવનાથ મહાદેવ મંદિર ઉપર કરવામાં આવ્યું હતું ત્યારબાદ જૂનાગઢ અખાડા ઉપર ધર્મધ્વજ ફરકાવવામાં આવ્યો હતો જોકે કોરોના ગાઈડ લાઈનના કારણે સરકારે મહાશિવરાત્રીનો મેળો ભાવિકો માટે રદ કર્યો છે તેમ છતાં પરંપરા જળવાય રહે તે માટે સાધુસંતો મેળો યોજી રહયા છે.
ભવનાથ વિસ્તારમાં લોકોના પ્રવેશ ઉપર પ્રતિબંધ છે સાધુસંતો અને સેવકો પણ કોરોના રિપોર્ટ કરાવીને મેળામાં પ્રવસિહ કરે તેવું નક્કી કરાયું છે પણ અહીં કોઈ ટેસ્ટ કરવામાં આવતો નથી જોકે હજુ ભવનાથ વિસ્તારમાં નાગાસાધુઓની ધૂણીઓ પણ ક્યાંક ક્યાંક જોવા મળી રહી છે