જૂનાગઢના વંથલી ખાતે રવનીમાં સ્ટોર ભરડીયમાં બ્લાસ્ટ થતાં આસપાસના વિસ્તારોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. બ્લાસ્ટને લઇને આસપાસના લોકોએ ભરડીયાના માલિક પર આક્ષેપ લગાવ્યો હતો. આ બ્લાસ્ટના કારણે 17 જેટલા લોકો પર અસર જોવા મળી હતી.
જૂનાગઢના વંથલી રવનીમાં સ્ટોર ભરડીયામાં થયો બ્લાસ્ટ
બ્લાસ્ટના કારણે આસ પાસના વિસ્તારોમાં અસર
સ્થાનિકોનોએ ભરડીયા માલિક પર લગાવ્યો આક્ષેપ
જૂનાગઢના વંથલી રવનીમાં સ્ટોર ભરડીયામાં બ્લાસ્ટ થયો હોવાની વધુ એક ઘટના સામે આવી છે. ત્યારે બ્લાસ્ટના કારણે આસ પાસના વિસ્તારોમાં અસર જોવા મળી છે.
જો કે સ્થાનિકોનોએ ભરડીયા માલિક પર બ્લાસ્ટ કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. જેમાં સ્થાનિકોએ ભરડીયાના માલિક ઉપર જીનેટિનક બ્લા્સ્ટ કરાયોનો આક્ષેપ કર્યો છે.
જો કે સામે આવેલી વિગત મુજબ આ બલાસ્ટના કારણે 17 લોકોને ઝાડા ઉલટી અને શ્વાસ લેવામાં તકલીફ થઇ હતી. જો કે બ્લાસ્ટની અસરના કારણે તબિયત લથડતાં આ 17 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.