FOLLOW US
જુનાગઢ કૃષિ યુનિવર્સીટી દ્રારા આગામી ઉનાળું ઋતુમાં વાવેતર માટે મગ,અડદ અને તલની જાતોનું ટ્રુથફૂલ (વિશ્વાસપાત્ર) બિયારણોનું વેચાણ બીજ વિજ્ઞાન અને તકનિકી વિભાગ (મેગાસીડ), કૃષિ મહાવિદ્યાલય, જુનાગઢ કૃષિ યુનિવર્સીટી, જૂનાગઢ ખાતેથી તા.15મી ફેબ્રુઆરી 2021થી વહેલા તે પહેલાના ધોરણે થવાનું છે.
ક્યાં મળશે બિયારણ
આ બિયારણનું વેચાણ જૂનાગઢ કૃષિ મહાવિદ્યાલયના બીજ વિજ્ઞાન અને તકનિકિ ડિપાર્ટમેન્ટમાં સવારના 9થી બપોરના 12 અને બપોરના 3થી 5 સુધી કરવામાં આવશે.
કેટલામાં પડશે બિયારણ
નોંધ: 1.
એક ખેડૂત ખાતેદારદીઠ અડદનું વધુમાં વધુ 20 બેગ (40 કિલો), મગનું વધુમાં વધુ ૫ બેગ (10 કિલો) અને તલનું વધુમાં વધુ ૩ બેગ (3 કિલો) સુધી બિયારણ મળશે.
2.
મગ અને તલમાંથી કોઈ પણ એક પાકનું બિયારણ ખેડૂતદીઠ લાઈનમાં આપવામાં આવશે. મગ અને તલની સાથે અડદનું બિાયરણ જો ખેડૂત લેવા માંગતો હશે તો મળશે.
3.
હાલમાં દેશમાં ફેલાયેલ COVID 19ની મહામારીને કારણે ખેડૂતમિત્રોને ગુજરાત સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક, અને કોવિડ ગાઈડલાઈનનો સંપૂર્ણ અમલ કરવાનો રહેશે.
4. ગુજરાત તલ-3નું ટુછફૂલ (વિશ્વાસપાત્ર) બિયારણનું વેચાણ કૃષિવિજ્ઞાન કેન્દ્ર, જૂનાગઢ યુનિવર્સિટી, નાનાકાંધાસર અને પોલીટેકનીક ઈન એગ્રીકલ્ચર, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, હળવદથી મળશે.
વધુ માહિતી માટે અહીં સંપર્ક કરો
સીડ સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ, કૃષિ મહાવિદ્યાલય, જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ ફોન નં. 0285- 2675070 તથા 0285-2672080-90