જૂનાગઢ ફાયરસેફટી મુદ્દે 14 ટ્યુશન સંચાલકોને મનપા દ્વારા મંજૂરી આપવામાં આવી છે. મનપા દ્વારા તપાસ કર્યા વગર જ મંજૂરી આપવામાં આવતા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. મનપા દ્વારા હોટેલ ઉપર ચાલતા ટ્યુશન ક્લાસને પણ મંજૂરી આપવામાં આવી છે.
તમને જણાવીએ કે, તપસ્વી ટ્યુશન ક્લાસને મંજૂરી નિયમ વિરુદ્ધ આપવામાં આવી હતી. આ મામલે મીડિયાકર્મીઓએ ફાયર ઓફિસરને જાણ કરતા તંત્ર હરકતમાં આવ્યુ હતું અને ત્યારબાદ ફાયર ઓફિસર દ્વારા ત્વરિત સ્થળ પર પહોંચીને મંજૂરી રદ્દ કરવામાં આવી છે.
મહત્વનુ છે કે, સુરતના અગ્નિકાંડ બાદ રાજ્યભરની ટ્યુશન ક્લાસીસ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. રાજ્યભરની ટ્યુશન ક્લાસીને ફાયર સેફ્ટી અને મનપા પાસેથી NOC મેળવવુ ફરજીયાત કરાયુ છે.