દિલ્હી સરકારના સરકારી વકીલ, જેએનયૂ વિદ્યાર્થી સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર વિરુદ્ધ દેશદ્રોહના આરોપ લગાવવા વિરુદ્ધ છે. એમનું કહેવું છે કે પોલીસની ચાર્જશીટમાં ગરબડી છે.
દિલ્હી સરકારના ગૃહ વિભાગના સૂત્રોના હવાલાથી જાણવા મળ્યું છે કે દિલ્હી સરકારે પોતાના સરકારી વકીલ રાહુલ મેહરાથી સલાહ માંગી હતી કે શું કન્હૈયા કુમાર અને તેના સહયોગીઓ દ્વારા જેએનયૂ કેમ્પસમાં આપવામાં આવેલું ભાષણ દેશદ્રોહની શ્રેણીમાં આવે છે?
ધ ઇન્ડિયન એક્સપ્રેસનીની રિપોર્ટ અનુસાર, તેના જવાબમાં સરકારી વકીલ રાહુલ મેહરાએ કહ્યું કે તેમણે સાચી ફરિયાદને વાંચી છે. જે જેએનયૂની ઉચ્ચ સ્તરીય કમિટીએ 9 ફેબ્રુઆરી, 2016ની ઘટના વિશે આપી હતી. પરંતુ પોલીસે જે ચાર્જશીટ દાખલ કરી છે, તેમા કેટલીક ગરબડ છે.
સમાચાર અનુસાર, સરકારી વકીલે પોતાના જવાબમાં કહ્યું કે સરકારની નીતિઓનો વિરોધ કરવો દેશદ્રોહ ન કહીં શકાય, તેના સાથે જો વિરોધી અવાજને દબાવી દેવામાં આવે છે તો તે લાંબાગાળા બાદ લોકતંત્ર માટે ખતરનાક સાબિત થઇ શકે છે. સરકારી વકીલ રાહુલ મેહરા અનુસાર, પોલીસે આ મામલે ચાર્જશીટ વિના કોઇ પૂર્વ અનુમતિએ દાખલ કરી છે. અને પોલીસ તરફથી એવું લાગી રહ્યું છે કે તે આ કેસને લઇને ચાલી રહેલી ચર્ચાઓનો ફાયદો ઉઠાવવાની કોશિશ કરી રહી છે.
રાહુલ મેહરા અનુસાર, આરોપીઓ પર ખોટી ધારાઓ લગાવાઇ છે, જેમા આરોપીઓનું જીવન ખોટી રીતે પ્રભાવિત થઇ શકે છે. જે તમામ વિદ્યાર્થીઓ છે. જે પણ થયું, તે ભાવનાઓમાં વહેતા થયું અને તેમા આરોપીઓની કોઇપણ પ્રકારની હિંસા ભડકાવવા અથવા સાર્વજનિક અવહેલનાની કોઇ મંશા નહોતી.