જ્યારથી બચ્ચન પરિવારના ચાર સભ્યો કોરોના પોઝિટિવ હોવાના સમાચાર આવ્યા છે ત્યારથી બધાં હચમચી ગયા છે. બોલિવૂડ સેલેબ્સ અમિતાભ, અભિષેક, એશ્વર્યા અને આરાધ્યાની ફાસ્ટ રિકવરી માટે પ્રાર્થના કરી રહ્યાં છે. ત્યારે હાલમાં દિગ્ગજ એક્ટ્રેસ જૂહી ચાવલાએ પણ બચ્ચન ફેમિલીની ફાસ્ટ રિકવરી માટે એક ટ્વિટ કર્યું હતું, જેના કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.
બચ્ચન પરિવારની હેલ્થને લઈને જૂહી ચાવલાએ કર્યું ટ્વિટ
હકીકતમાં જૂહીએ ટ્વિટમાં લખ્યું હતું કે, અમિતજી...અભિષેક...આયુર્વેદ...જલ્દી ઠીક થઈ જશે...જો જો. બસ પછી શું ફેન્સને લાગ્યું કે જૂહીએ એશ્વર્યા કે આરાધ્યાની જગ્યાએ આયુર્વેદ લખી નાખ્યું છે. જેના કારણે તેને ખૂબ ટ્રોલ કરવામાં આવી હતી. ત્યારબાદ જૂહી ચાવલાએ તે ટ્વિટ ડિલીટ કરી દીધું હતું અને અન્ય એક ટ્વિટ કરીને સ્પષ્ટતા કરી હતી.
Amitji, Abhishek, Aishwarya & Aaradhya... Our heartfelt best wishes for your speedy recovery 🙏 My earlier tweet was not a typo, I meant , when I wrote , Ayurveda , that with Nature's Grace , it will help to recover fast . 🙏😇🌿⭐️@SrBachchan@juniorbachchan
જૂહીએ અન્ય ટ્વિટમાં લખ્યું અમિતજી, અભિષેક, ઐશ્વર્યા અને આરાધ્યા...જલ્દીથી સાજા થઈ જાય તેવી પ્રાર્થના...મારી અગાઉની ટ્વિટમાં ટાઈપો એરર નહોતી...જ્યારે મેં આયુર્વેદ લખ્યું તેનો અર્થ એ હતો કે, નેચરના ગ્રેસની સાથે ઝડપથી ઠીક થવામાં મદદ મળશે. જોકે, યુઝર્સને જૂહીનું એ ટ્વિટ ડિલીટ કરવું ગમ્યું નહીં અને એક યુઝરે કહ્યું, તો પછી એ ટ્વિટ ડિલીટ કેમ કર્યું, જ્યારે કેટલાક યુઝર્સ જૂહીના સપોર્ટમાં પણ આવ્યા હતા.