ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને મોટો ઝટકો આપ્યો છે. ફિક્સ પગારદાર મામલે રાજ્ય સરકારને હાઇકોર્ટે ઝટકો આપ્યો છે. ફિક્સ પગારમાં કામ કરતા હજાર કર્મચારીઓને અસર કરતો આદેશ કરવામાં આવ્યો છે.
ફિક્સ પગારદાર કર્માચારીઓને પણ સમાન કાયદાનું રક્ષણ આપવું જોઈએ. રેગ્યુલર એપોઇન્મેન્ટવાળા કર્મચારીઓ જેવા સમાન અધિકાર આપવો જોઈએ તેવો આદેશ હાઇકોર્ટ દ્વારા કરવામાં આવ્યો છે.
લોકસભા ચૂંટણી સમયે ફિક્સ પગારદારો માટે બહાર પડાયું હતું નોટિફિકેશન
ગુજરાતમાં થોડા સમયમાં ચૂંટણી આવી રહી હતી ત્યારે વિવિધ યોજનાઓના લોન્ચિંગ દ્વારા સમાજના વિવિધ વર્ગને આકર્ષવાનો સરકારનો હેતુ માત્ર ને માત્ર આવનારી ચૂંટણીલક્ષી છે. તાજેતરમાં જ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસે સરકારના વિવિધ વિભાગોએ મુખ્યમંત્રી વિજયભાઈના જન્મદિવસની ભેટ સ્વરૂપે કેટલાક નિર્ણયો કર્યા હતા. આ નિર્ણયમા ફિક્સ પગાર ધરાવતાં વિદ્યાસહાયકોના વેતનવધારો ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ અને વીજ કર્મચારીઓને સાતમા પગારપંચનો લાભ આપવાના નિર્ણય કરાયેલ છે.
હાલમાં જિલ્લા શિક્ષણ સમિતિ અને નગર શિક્ષણ સમિતિમાં ફરજ બજાવતાં 21 300થી વધુ વિદ્યાસહાયકોને ફીક્સ પગારના ધોરણે રૂપિયા 11 500નો પગાર ચૂકવવામાં આવે છે. પરંતુ તાજેતરમાં બહાર પડાયેલ એક નોટિફિકેશન અંતર્ગત હવે શિક્ષકોને 19 500 પગાર ચૂકવવાનું નક્કી કરવામાં આવતા શિક્ષકોમાટે ખુશીના સમાચાર બન્યા છે.
સરકાર દવારા તાજેતરમાં બહાર પડાયેલ આ નોટિફિકેશન નાયબ સચિવ વિ. ટી. મંડોરાના હસ્તાક્ષર સાથે બહાર પાડવામાં આવ્યુ છે. જેમાં વિદ્યાસહાયકોનો ફિક્સ પગાર પેટે 11500ની જગ્યાએ હવે 19950 રૂપિયા મળશે તેવો ઉલ્લેખ કરાયો છે.