ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ભગવાનો અર્થ ભાજપ નથી અને ભાજપ યેતિ નરસિંહાનંદ જેવા લોકોને પ્રોત્સાહન આપતી નથી.
જેપી નડ્ડા દેશના નામે લખ્યો પત્ર
વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર
ભડકાઉ ભાષણ પર આપ્યું આ નિવેદન
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કહ્યું કે, ભગવાનો અર્થ ભાજપ નથી અને ભાજપ યેતિ નરસિંહાનંદ જેવા લોકોને પ્રોત્સાહન આપતી નથી. તેમણે કહ્યું કે, અમુક લોકો એવું કરે છે, જેને આપણે સહન નથી કરી શકતા. ભાજપનો અર્થ છે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌની કોશિશ. પાર્ટી આ મંત્ર સાથે આગળ વધી રહી છે.
ભાજપનો કાર્યકર્તા આવું કરતા પકડાશે તો...
જેપી નડ્ડાએ આગળ કહ્યું કે, જો ભાજપનો કોઈ કાર્યકર્તા આવી કોઈ હરકત કરતા દેખાયો તો, અમે તેને રોકવામાં જરાં પણ વાર નહીં લાગે. ભાજપ અધ્યક્ષે વિપક્ષ પર દેશની આત્મા પર હુમલો કરવાની કોશિશનો આરોપ લગાવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસથી દેશના 13 મુખ્ય વિપક્ષી નેતાઓ એક સંયુક્ત નિવેદન જાહેર કરીને મોદી સરકાર પર ભડકાઉ ભાષણ આપવાનો આરોપ અને દેશમાં સાંપ્રદાયિક તણાવનો માહોલ ઉભો કરવાનો આરોપ લગાવ્યો હતો. જવાબમાં નડ્ડાએ કહ્યું કે, વિપક્ષ દ્વારા કરવામાં આવેલી વોટ બેંક પોલિટિક્સ અને ડિવિજન પોલીટિક્સ હવે નહીં ચાલે. તેમણે આગળ લખ્યું છે કે, પીએમ મોદીનું સમગ્ર ધ્યાન સૌનો સાથ, સૌનો વિકાસ થાય તેના પર છે. ભારતીય યુવાનોને હવે પાંખો આવી છે અને તેઓ સફળતાથી ઉંચાઈએ પહોંચવા માટે ઉડી રહ્યા છે.
યુવાનોને લઈને કહી આ વાત
ભાજપ અધ્યક્ષે કહ્યું કે, દેશના યુવાનોને રોજગારના અવસર જોઈએ છે નહીં કોઈ પણ પ્રકારની અડચણો. યુવાનોને વિકાસ જોઈએ છે, નહીં કે ભાગલા. દરેક ધર્મ, દરેક વર્ગના લોકો મળીને ગરીબી વિરુદ્ધ લડી રહ્યા છે, જેથી ભારતને નવી ઉંચાઈએ પહોંચાડી શકાય. વિપક્ષ પર પ્રહાર કરતા નડ્ડાએ કહ્યું કે, જે લોકો ભાગલાની રાજનીતિ કરી રહ્યા છે, તેમણે પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોમાંથી શિખામણ લેવી જોઈએ.
વિપક્ષ પર કર્યા પ્રહારો
ભાજપ પર સાંપ્રદાયિક હિંસાનો આરોપ લગાવતા વિપક્ષને જવાબ આપતા જેપી નડ્ડાએ 1984ના રમખાણોનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે 1966માં ગૌવંશની હત્યા રોકવા માટે સાધૂ પાર્લિયામેંટ હાઉસ બહાર ધરણા આપી રહ્યા છે, જેના પર ગોળીઓ ચલાવામાં આવી હતી. આ ઈંદિરા ગાંધીનો કાર્યકાળ હતો. ઉપરાંત 1969માં ગુજરાત રમખાણો, 1980માં મુરાદાબાદમાં રમખાણો, 1984માં ભિવાની, 1989 ભાગલપુર રમખાણો દ્વારા પર વિપક્ષ પર પ્રહારો કર્યા હતા.