ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બોલાવેલી રાષ્ટ્રીય મહાસચિવોની બેઠકમાં ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરની ચૂંટણીને લઈને પાંચ નિર્ણય લેવાયા છે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ બોલાવી રાષ્ટ્રીય મહાસચિવોની બેઠક
પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓની તૈયારીની સમીક્ષા કરાઈ
2022 માં ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરમાં ચૂંટણી
2022 મા ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરમાં ચૂંટણીઓ
ઉત્તરાખંડ, ગોવા, પંજાબ, યુપી અને મણિપુરની ચૂંટણીને લઈને ભાજપ અધ્યક્ષ નડ્ડાએ એક બેઠક બોલાવી છે. બેઠકમાં કોરોના કાળ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા કરાયેલા જનહિતના કામોથી લોકોને વાકેફ કરાવવાનું નેતાઓને કહેવાયું. બંગાળ સહિત ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાંથી બોધપાઠ લેવાનું પણ નેતાઓને કહેવાયું છે.
રાષ્ટ્રીય મહાસચિવોની બેઠકમાં લેવાયેલા પાંચ નિર્ણય
(1) કેન્દ્ર અને રાજ્ય સરકારોના કામોથી લોકોને વાકેફ કરાવવામાં આવે.
(2) જે ઠેકાણે ભાજપ ચૂંટણી હાર્યો છે ત્યાંથી બોધપાઠ લેવામાં આવે.
(3) જ્યાં ભૂલો થઈ હોય ત્યાંથી શીખવામાં આવે.
(4) કોરોનાને ધ્યાનમાં રાખીને મોટા પાયે વર્ચ્યુઅલ રેલીઓનું આયોજન કરવામાં આવશે
(5) જુની ભૂલોથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર કામ કરવું જોઈએ.
(6) પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા બેઠકોને સંબોધિત કરશે.
બેઠકમાં મહાસચિવોને કહેવાયું કે જુની ભૂલોથી બોધપાઠ લઈને આગામી રણનીતિ પર કામ કરવું જોઈએ.
કોરોનાને ધ્યાનમાં રાખીને ભાજપ મોટા પાયે ચૂંટણી રાજ્યોમા વર્ચ્યુઅલ સભાઓના આયોજનની તૈયારીમાં છે. પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા આ બેઠકોને સંબોધિત કરવાના છે. આ રેલીઓને એકીસાથે દરેક વિધાનસભામાં પ્રસારણ કરવાની પણ યોજના બનાવાઈ છે.