PM મોદીનો કાફલો ફસાયો છતાં CM ચન્નીએ ફોન સુદ્ધા ન ઉપાડ્યો
કોંગ્રેસ સરકારે પીએમનો કાર્યક્રમ રદ કરવા યુક્તિ અજમાવી
પંજાબમાં પીએમ મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે ભાજપે હવે કોંગ્રેસ પર નિશાન સાધવાનું શરુ કર્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે જ્યારે પીએમ મોદીનો કાફલો ઓવરબ્રિજ પર ફસાયો હતો ત્યારે સીએમ ચન્નીએ ફોન પર વાત કરવાનો ઇનકાર કરી દીધો હતો.
पंजाब के मुख्यमंत्री चन्नी ने फोन पर बात करने या इस मामले का समाधान करने से इनकार कर दिया। पंजाब सरकार द्वारा इस्तेमाल की जाने वाली रणनीति, लोकतांत्रिक सिद्धांतों में विश्वास रखने वाले किसी भी व्यक्ति को कष्ट पहुंचाएगी और उन्हें व्यथित करेगी।
કોંગ્રેસ સરકારે પીએમનો કાર્યક્રમ રદ કરવા યુક્તિ અજમાવી-નડ્ડા
જેપી નડ્ડાએ એક પછી એક શ્રેણીબદ્ધ ટ્વીટ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે, પંજાબમાં આગામી ચૂંટણીમાં મતદારોના હાથે કારમી હારના ડરથી કોંગ્રેસ સરકારે પીએમનો કાર્યક્રમ રદ કરવા માટે શક્ય તેટલી બધી યુક્તિ અજમાવી હતી. આમ કરીને તેમને એ પણ યાદ ન હતું કે પીએમ મોદીએ ભગત સિંહ અને અન્ય શહીદોને શ્રદ્ધાંજલિ આપવાની છે અને વિકાસના કામોનો શિલાન્યાસ કરવાનો હતો. જેપી નડ્ડાએ વધુમાં જણાવ્યું હતું કે, છીછરી માનસિકતાથી પંજાબની કોંગ્રેસ સરકારે બતાવ્યું છે કે તેઓ વિકાસ વિરોધી છે અને સ્વતંત્રતા સેનાનીઓ પ્રત્યે પણ તેમને કોઈ આદર નથી.
આસામના મુખ્યમંત્રીએ પણ સીએમ ચન્ની પર કર્યાં પ્રહાર
It's a matter of shame that PM Modi's cavalcade was stopped by protesters on his way to launch development schemes for welfare of Punjab. This is a serious security lapse & the fact that the Punjab CM didn't address the issue makes matters even worse: Assam CM Himanta Biswa Sarma pic.twitter.com/LONRveQUOx
આ પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક
નડ્ડાએ લખ્યું કે સૌથી મોટી ચિંતા એ વાતની છે કે આ ઘટના પીએમ મોદીની સુકરક્ષામાં મોટી ચૂક છે. પંજાબના મુખ્ય સચિવ અને ડીજીપીએ પણ એસપીજીને કહ્યું હતું કે પીએમ મોદીનો રુટ ક્લીયર છે તેમ છતાં પણ ત્યાં પ્રદર્શનકારીઓને જવા દેવાયા. તેનાથી પણ ખરાબ વાત એ છે કે સીએમ ચન્નીએ ફોન પર વાત કરવાનો અને કેસનું સોલ્યુશન લાવવાનો ઈન્કાર કરી દીધો.
પોલીસ પર નડ્ડાના ગંભીર આરોપ
નડ્ડાએ કહ્યું કે લોકોને રેલીમાં સામેલ થતા અટકાવવા રાજ્ય પોલીસને નિર્દેશ અપાયો હતો. પોલીસની મનમાની અને પ્રદર્શનકારીઓની મિલિભગતને કારણે રેલીમાં આવનાર મોટી સંખ્યામાં લોકો ફસાઈ ગયા.