ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ શહજાદ પૂનાવાલાએ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જાહેર કર્યા છે
ભાજપ હાઈકમાન્ડે સંગઠનમાં કર્યા મોટા ફેરબદલ
શહજાદ પૂનાવાલા બન્યા ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા
વિનોદ તાવડેને બનાવાયા રાષ્ટ્રીય મહાસચિવ
ભાજપે સંગઠન માટે લીધો મોટો નિર્ણય, તાવડેનું વધ્યું કદ
ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી નડ્ડાએ સંગઠનમાં આજે કેટલાક મોટા ફેરફાર કર્યા છે. આગામી વર્ષમાં યુપી ગુજરાત સહિત મોટા રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી છે ત્યારે મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા વિનોદ તાવડેને રાષ્ટ્રીય મહાસચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે જેથી કેન્દ્રમાં તેમનું કદ વધ્યું છે.
विनोद तावड़े को भाजपा के राष्ट्रीय महासचिव और ऋतुराज सिन्हा और आशा लकड़ा को राष्ट्रीय सचिव के रूप में नियुक्त किया गया। pic.twitter.com/CnupcRplYF
કોંગ્રેસમાં હતા શહજાદ પૂનાવાલા
આ સિવાય ભારતીય જનતા પાર્ટીએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલ શહજાદ પૂનાવાલાએ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે જાહેર કર્યા છે. નોંધનીય છે કે શહજાદ હિન્દી મીડિયા ચેનલોમાં એક જાણીતો ચહેરો છે જે પહેલા કોંગ્રેસમાં હતા પરંતુ રાહુલ ગાંધી સામે નારાજગીનાં કારણે પાર્ટીથી દૂર થયા હતા. ટીવી પર દેખાતા ભાજપના ચહેરાઓમાં સંબિત પાત્રા અને સુધાંશુ ત્રિવેદીનું નામ આવે છે ત્યારે શહજાદ પણ તેમાં જોડાશે.
ભારતી ઘોષને પણ રાષ્ટ્રીય પ્રવક્તા બનાવાયા
આ સિવાય બિહારનાં ઋતુરાજ સિંહા અને ઝારખંડનાં આશા લકડાને રાષ્ટ્રીય સચિવ બનાવવામાં આવ્યા છે જ્યારે પશ્ચિમ બંગાળનાં ભારતી ઘોષને પણ રાષ્ટ્રીય પ્રવક્તા તરીકે નિયુક્ત કરવામાં આઆવ્યા છે. ભારતીય જનતા પાર્ટીના મહાસચિવ અરુણ સિંહ તરફથી જાહેર કરવામાં આવેલ એક આધિકારિક નિવેદનમાં આ તમામ નિયુક્તિઓની જાહેરાત કરવામાં આવી છે. નોંધનીય છે કે તાવડે અત્યાર સુધીમાં સચિવ હતા પરંતુ હવે તેમને પ્રમોશન આપવામાં આવ્યું છે. આ સિવાય આશા લકડા રાંચીમા મેયર છે અને ભારતી ઘોષ IPS ના પૂર્વ અધિકારી છે જે વર્ષ 2019માં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયા હતા.