બાબરી વિધ્વંસ કેસ મામલે લખનૌની સ્પેશિયલ સીબીઆઇ કોર્ટે ચૂકાદો આપ્યો છે. બાબરી ધ્વંસ મામલે CBIની વિશેષ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. 6 ડિસેમ્બર 1992ના દિવસે થયેલી ઘટનાને કોર્ટે પૂર્વનિયોજીત ન હોવાનું જણાવ્યું છે.
અડવાણી,મુરલીમનોહર જોશી,ઉમા ભારતી નિર્દોષ જાહેર
પોતાના વયોવૃદ્ધ નેતાને વધામણાં આપવા ભાજપ નેતાઓમાં હોડ
ગૃહમંત્રી અમિત શાહ, રક્ષામંત્રી રાજનાથ સિંહે વ્યક્ત કરી ખુશી
Delhi: Law & Justice Minister Ravi Shankar Prasad arrives at the residence of senior BJP leader Lal Krishna Advani who, along with 31 other accused, was acquitted in #BabriMasjid demolition case by Special CBI Court in Lucknow today. pic.twitter.com/oNHImAWP7i
બાબરી વિધ્વંસ કેસમાં ભાજપના વયોવૃદ્ધ નેતા લાલકૃષ્ણ અડવાણી સહીતનાં 32 આરોપીઓને અદાલતે નિર્દોષ જાહેર કર્યા છે. એવામાં ભાજપના નેતા ઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને વધામણા આપ્યા. કાયદાપ્રધાન રવિશંકર પ્રસાદ તુરત જ અડવાણીના ઘરે પહોંચી ગયા.ગુજરાત ભાજપના અધ્યક્ષ CR પાટીલે પણ કહ્યું કે 'ફરી એકવાર સત્યનો વિજય થયો, જય શ્રી રામ.'
રક્ષામંત્રી રાજનાથ સિંહે આ ચુકાદા પર નિવેદન આપતા કહ્યું કે વિશેષ અદાલત દ્વારા બાબરી મસ્જિદ વિધ્વંસ કેસમાં અડવાણી, કલ્યાણ સિંહ, ડૉ.મુરલી મનોહર જોશી અને ઉમાજી સહીતના 32 આરોપીઓના ષડ્યંત્રમાં સામેલ ન હોવાના ચુકાદાનું સ્વાગત કરું છું. આ નિર્ણયથી સાબિત થયું કે ભલે મોડા પણ ન્યાયની જીત થઇ.
लखनऊ की विशेष अदालत द्वारा बाबरी मस्जिद विध्वंस केस में श्री लालकृष्ण आडवाणी, श्री कल्याण सिंह, डा. मुरली मनोहर जोशी, उमाजी समेत ३२ लोगों के किसी भी षड्यंत्र में शामिल न होने के निर्णय का मैं स्वागत करता हूँ। इस निर्णय से यह साबित हुआ है कि देर से ही सही मगर न्याय की जीत हुई है।
લખનૌમાં CBIની અદાલતે આજે ચુકાદો આપતા કહ્યું કે જે ઘટના થઇ હતી તે કાવતરું હતું નહીં તથા આ ઘટના પૂર્વનિયોજિત ન હતી. આ સિવાય CBIએ જે વીડિયો દાખલ કરી હતી તેને પણ અદાલતે ન સ્વીકારી અને કહ્યું કે વીડિયોને સીલબંધ કવરમાં જમા કરાવવામાં આવ્યું ન હતું.
I wholeheartedly welcome the judgement by the Special Court in #BabriMasjidDemolitionCase. The judgement vindicates my personal and BJP's belief and commitment toward the Ram Janmabhoomi movement: Lal Krishna Advani after being acquitted by Special CBI Court, Lucknow pic.twitter.com/7E95Q1vCNp
બાબરી મસ્જિદ કેસમાં સીબીઆઇ કોર્ટે સૌથી મોટો ચુકાદો આપ્યો છે. સીબીઆઇ કોર્ટે તમામ આરોપીને નિર્દોષ છોડી દીધા છે. 28 વર્ષ પહેલાં 6 ડિસેમ્બર 1992માં અયોધ્યામાં કારસેવકોએ બાબરી મસ્જિદની ઇમારત તોડી પાડી હોવાનો આરોપ લાગ્યો. જેમાં ઇમારત તોડી પાડવાનો આરોપ લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશી સહિત 48 લોકો પર લગાવવામાં આવ્યો હતો. તેમાંથી 16 લોકોનાં નિધન થઈ ગયાં છે.
ત્યારે CBIની સ્પેશિયલ કોર્ટ 32 આરોપીઓનો નિર્દોષ છોડી દીધા છે. કોર્ટે કહ્યું કે આ ઘટના અચાનક થઇ હતી. પૂર્વ આયોજિત નહોતી. ફોટો હોવાથી કોઇ આરોપી ન થઇ જાય. ફોટો અને વીડિયોનો સાક્ષ્ય સ્વીકાર નથી. કેટલાક લોકોએ ભીડને રોકવા પ્રયાસ કર્યો હતો. ફરિયાદી પક્ષ આરોપીઓ સામે નક્કર પુરાવા ન આપી શક્યો.
કોર્ટે કહ્યું કે અશોક સિંધલ માળખુ સુરક્ષિત રાખવા માગતા હતા. મૂર્તિઓ હોવાથી તેઓ માળખું સુરક્ષિત રાખવા માગતા હતા. એટલે સમાચાર પત્રોમાં લખેલી વાતો સાક્ષી ન માની શકાય. અને કાર સેવકોના બંન્ને હાથ વ્યસ્ત રાખવા જળ-ફૂલ લાવવા કહેવાયું હતું.
કેસમાં કુલ 49 લોકોને આરોપી બનાવાયા હતા. 6 ડિસેમ્બર 1992ના રોજ વિવાદિત માળખું ધ્વસ્ત કરવા બદલ FIR દાખલ થઈ હતી. બાલા સાહેબ ઠાકરે, અશોક સિંઘલ, ગિરિરાજ કિશોર સહિત 17 આરોપીના નિધન થઈ ચૂક્યા છે. 32 આરોપીઓ પર આકે ચુકાદો આપવામાં આવ્યો છે.