હાર્દિક પટેલે જામનગરની લોકસભા બેઠક લડવા કમર કસી છે. સ્થાનિક કંપનીઓમાં યુવાનોને રોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, આરોગ્યની કથળેલી સેવાઓ અને જીત્યા પછી પાંચ વરસ જામનગરમાં રહેવાના વચન સાથે છેલા બે દિવસથી જામનગરના પ્રવાસે છે. હાર્દિકે વડાપ્રધાનથી માંડી ગુજરાત સરકારને આડે હાથ લઇ ખોટા વચનો નહીં જનતાની સમસ્યા માટે રાજનીતિમાં આવ્યો છે તેવો ભાવ વ્યક્ત કર્યો છે. જામનગર લોકસભામાં આવતા દેવભૂમિ દ્વારકા મત ક્ષેત્રના કોંગ્રેસી આગેવાનો સાથે હાર્દિકે મીટીંગ કરી. આગામી રણનીતિ અંગે ચર્ચાઓ કરી છે.
હાર્દિક પટેલે જ્યારથી જામનગર બેઠક પરથી ચુંટણી લડવાનો નિર્ણય કર્યો છે ત્યારથી આ બેઠક ચર્ચામાં આવી છે. હાર્દિકની ચૂંટણી લડવાની ઈચ્છા બાદ પ્રથમ વખત હાર્દિક જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે દિવસના પ્રવાસે છે. આજે બીજા દિવસે જામનગર ખાતે હાર્દિક શહેર-જીલ્લાના કાર્યકરોને મળ્યો હતો અને ચુંટણી લક્ષી એજન્ડા પર ચર્ચાઓ અને મીટીંગો કરી હતી.
હાર્દિકે પત્રકારો સાથેની વાતચીતમાં વડાપ્રધાનથી માંડી રાજ્ય સરકાર પર આક્રરા પ્રહારો કર્યા હતા. યુવાનોને રોજગારી, આરોગ્યની સારી સ્થિતિ, ખેડૂતોનું કલ્યાણ અને મોટાભાગનો સમય જામનગર બેઠક પર આપવાની નેમ સાથે હાર્દિકે જનતાનો સહકાર માંગ્યો છે. ચોકીદાર ચોકી કરવામાં ક્યાંક ને ક્યાંક નિષ્ફળ નીવડ્યા હોવાનો આક્ષેપ લગાવી વડાપ્રધાનની જેમ મને અહી ગંગા માતાએ નહિ પણ જનતાએ બોલાવયો હોવાનો ભાવ પણ રજુ કર્યો હતો.
જનતાને વચનો નહીં પણ બનતી સુવિધા આપવાનો પ્રયાસ રહેશે એમ હાર્દિકે જણાવ્યું હતું. ભાજપ મુક્ત ભારત નહીં પણ વિપક્ષમાં બેસે એમ પટેલે ભાવ વ્યક્ત કરી વાજપેઈને યાદ કર્યા હતા. આ ઉપરાંત પોતાની પર થયેલા કેસમાં સરકાર. પ્રસાસન જાણી જોઈ રોળા નાખતું હોવાનો આક્ષેપ પણ લગાવ્યો છે. હાર્દિક ચુંટણી ન લડી શકે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને ભાજપા કિન્નાખોરીની રાજનીતિ કરતી હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.