Whatsapp પર દાવો કરવામાં આવી રહ્યો છે કે પત્રકારોને ટોલ ટેક્સ નહીં ચૂકવવો પડે. આ દાવા અનુસાર પત્રકાર પોતાની આઇડી બતાવીને ટોલ ટેક્સ આપ્યાં વિના પ્રવાસ કરી શકશે. આ વાયરલ મેસેજ કેટલા અંશે સાચો છે ?
પત્રકારોનાં ટોલ ટેક્સ ભરવા પર વાયરલ થયો મેસેજ
PIB એ કર્યા મેસેજ અંગેના ખુલાસા
ટ્વીટ પર આપી સમગ્ર વિગત
Whatsapp પર એક મેસેજ ખુબ વાયરલ થઇ રહેલ છે જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પત્રકારોને ભારતનાં તમામ ટોલ ટેક્સ પર છૂટ મળશે. કોઇ પણ પત્રકાર પોતાનું આઇડી કાર્ડ દેખાડી અને ટેક્સથી બચી શકે છે. લાંબા સમયથી વાયરલ થઇ રહેલાં આ મેસેજ પર PIBની ટીમે ફેક્ટ ચેકિંગ કરી છે અને માહિતી જનતાને આપી છે.
PIBએ ટ્વીટ પર કર્યો ખુલાસો
PIBની ફેક્ટ ચેકિંગ ટીમે પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પર આ દાવાને સંપૂર્ણરીતે ખોટો જણાવ્યો છે. આ એજન્સીએ ટ્વીટ કર્યું કે માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયએ આવો કોઇ આદેશ આપેલ નથી. તેનો અર્થ એ છે કે પત્રકારોને પણ સામાન્ય નાગરિકોની જેમ જ ભારતનાં તમામ ટોલ ટેક્સની ચૂકવણી કરવી પડશે. આઇડી દેખાડીને પત્રકારોને કોઇ પણ છૂટ મળશે નહીં,
एक #WhatsApp मैसेज में दावा किया जा रहा है कि भारत के सभी टोल प्लाजा पर पत्रकारों को टोल टैक्स पर मिलेगी छूट, जिसके लिए आईडी कार्ड दिखाना होगा आवश्यक#PIBFactCheck:
સરકારી એજન્સીએ મેસેજને કહ્યો ફેક
વાયરલ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે પત્રકારોને ટોલ ટેક્સમાં રાહત આપવાનો આદેશ માર્ગ પરિવહન મંત્રી નિતિન ગડકરીએ આપ્યો છે. જો કે ફેક્ટ ચેક કર્યા બાદ એ સાફ થઇ ગયું કે ગડકરીએ આ પ્રકારનો કોઇ પણ આદેશ આપેલ નથી.
PIB એ મંત્રાલયની લિંક શેર કરી
PIB એ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની લિંક શેર કરી હતી. તે લિંક પર ક્લિક કરતાં એક લિસ્ટ દેખાય છે જેમાં જણાવવામાં આવ્યું છે કે કયા લોકો અને ગાડીઓ પર ટોલ ટેક્સ માફ છે.