કેન્દ્રીય નાણા મંત્રાલયે નોર્થ બ્લોકમાં મીડિયાની એન્ટ્રી પર રોક લગાવી દીધી છે. જોકે, માત્ર એ માન્યતા પ્રાપ્ત પત્રકારોકારોને અંદર જવા દેવામાં આવી રહ્યાં છે તેમ કહેવાય છે. જેમણે પહેલાથી જ અધિકારીઓથી મળવાનો સમય લઇ રાખ્યો છે તે લોકોને જ પ્રવેશ મળશે. જો કે આ વિશે નાણામંત્રી નિર્મલા સીતારમણની ઓફિસથી એક સ્પષ્ટીકરણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
પરંતુ હવે આ મુદ્દે વિરોધ સ્વરૂપે આશરે 100 જેટલાં પત્રકારોએ વાર્ષિક પોસ્ટ બજેટ ડીનરનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. ઉલ્લેખનીય છે કે આ ડીનર નિર્મલા સીતારમણ દ્વારા 12 જુલાઈએ 8 વાગ્યે દિલ્હીની તાજ મહલ હોટલમાં યોજવામાં આવ્યું છે.
સૂત્રો પ્રમાણે વરિષ્ઠ પત્રકાર માની રહ્યાં છે કે આ આડકતરી રીતે સરકારી કર્મચારીઓને પત્રકારો સાથે કમ્યુનિકેશન કરતા રોકવાની એક રીત છે. જો કે નિર્મલા સીતારમણે અમને નથી કહ્યું કે તેઓ અમને નહીં મળે પરંતુ જો ફાઈનાન્સ મિનિસ્ટર જ પત્રકારોથી દૂર રહેવા માંગતા હોય તો સરકારી અધિકારીઓ અમને અપોઈન્ટમેન્ટ આપવાનું પણ કેવી રીતે જોખમ લઈ શકે.
બીજી બાજુ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે નાણામંત્રી પત્રકાર પરિષદ તો કરે છે પરંતુ તે વન-વે હોય છે જેમાં નવી પોલિસી મુજબ પત્રકારોને સવાલ પૂછવાની તક ઓછી મળે છે. વરિષ્ઠ પત્રકારો માની રહ્યાં છે કે નાણાં મંત્રાલય દ્વારા પત્રકારો માટે બનાવાયેલી પોલિસીને કારણે મંત્રાલયમાં પોતાના સોર્સ બનાવી રાખવા પણ અઘરાં બની જશે. આ ઉપરાંત પત્રકારો ટેકનિકલી નાણાંમંત્રી સિવાય કોઈને પણ મળી નહીં શકે તેવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે.
નાણામંત્રાલયની સ્પષ્ટતા
નાણામંત્રીની ઓફિસથી જાહેર કરાયેલ સ્પષ્ટીકરણમાં કહેવામાં આવ્યું છે કે મંત્રાલયની અંદર મીડિયાકર્મીઓની એન્ટ્રી સંબંધમાં એક પ્રક્રિયા નક્કી કરવામાં આવી છે. અને મંત્રાલયમાં પત્રકારોના પ્રવેશ પર કોઇપણ પ્રકાનું પ્રતિબંધ નથી. આપને જણાવીએ કે આ મુદ્દે સીતારમણના કાર્યાલયે ટ્વિટ કરીને નાણા મંત્રાલયના પ્રવેશ પર બેન સાથે જોડાયેલા સમાચાર પર સ્પષ્ટતા કરી હતી. એમના તરફથી કહેવામાં આવ્યું હતું કે, પીઆઇબીથી માન્યતા પ્રાપ્ત તમામ મીડિયા કર્મીઓને પહેલાથી જ એપોઇન્મેન્ટના આધારે પ્રવેશ આપવામાં આવશે. નોર્થ બ્લોક પર પ્રવેશ પર કોઇ પ્રતિબંધ લગાવવામાં આવ્યો નથી.