ગાંધીનગર: ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના કાર્યાલયમાં કથિત રીતે જબરદસ્તી ઘુસવાનો પ્રયાસ કરી રહેલા લગભગ 35 જેટલા પત્રકારોની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી.
લઘુ અખબારમાં જાહેરાતના સંદર્ભમાં રાજ્ય સરકારની બદલાયેલી નીતિ વિષયક મુદ્દે તેઓ રાજ્યના મુખ્ય પ્રધાનને મળવા માટે ગયા હતા. જો કે પોલીસ દ્વારા તેમને અટકાવીને તેમની અટકાયત કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે ગાંધીનગર પોલીસ અધ્યક્ષ મયૂર ચાવડાએ આ મામલે નિવેદન આપતા કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઇચ્છતા હતા કે તેમના કાર્યલય બહાર ઉભેલ પત્રકારના સમુહ પૈકી કેટલાક પત્રકારો તેમને મળે પરંતુ મુખ્યમંત્રી કાર્યલય બહાર ઉભેલા તમામ પત્રકારો CM રૂપાણીને મળવાની જીદ પકડીને જબરદસ્તી કાર્યાલયમાં ઘુસવાનો પ્રયાસ કર્યો હતો. જો કે કાર્યાલય બહાર તૈનાલ મુખ્યપ્રધાનના સુરક્ષાકર્મીઓ અને પોલીસ દ્વારા આ પત્રકારોની અટકાયત કરવામાં આવી હતી.
જો કે અટકાયત થનાર તમામ પત્રકારને એક કલાક બાદ તરત છોડી મુકવામાં આવ્યા હતા. આ મામલે એક સ્થાનિક પત્રકાર સાથે વાતચીત થતાં જાણવા મળ્યું હતું કે પત્રકારો હાલમાં હાર્દિક પટેલના બહાર પોલીસ દ્વારા કેટલાક મીડિયાકર્મીઓ પર કરવામાં આવેલ હુમલાનો મુદ્દો પણ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી સમક્ષ ઉઠાવવા માગતા હતા.
જો કે આ લોકોની સ્થાનિક પોલીસે અટકાયત કરી હતી. આ મામલે કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ નિવેદન આપ્યું હતું કે રાજ્યના પત્રકારો માટે રાજ્યની ભાજપ સરકાર કેટલી ઉદાસીનતા ધરાવે છે તે સ્પષ્ટ થયું હતું.