ગોળી વાગવાથી ઇજાગ્રસ્ત પત્રકાર વિક્રમ જોશીનું ગાઝિયાબાદના નેહરૂ નગરમાં આવેલ યશોદા હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યું થયું છે. ગત સોમવારે રાતે મૃતક પત્રકાર વિક્રમ જોશીને બદમાશોએ ઘેરી લઇને ગોળી મારી હતી. વિક્રમને ગોળી વાગતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા. જ્યાં તબિયત ગંભીર બતાવામાં આવી રહી હતી. વિક્રમને વેંટિલેટર પર રાખવામાં આવ્યાં હતા.
પત્રકાર વિક્રમે ભાણેજ સાથેની છેડછાડ તેમજ અભદ્ર કમેંટ કરનારા યુવકોની ફરિયાદ પોલીસને કરી હતી. વિક્રમ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોય તેનાથી નારાજ આરોપી અને તેના સાથીદારોએ સોમવારે રાત્રે ઘેરીને વિક્રમની ઘણી નજીકની માથામાં ગોળી મારી.
આ સંપૂર્ણ ઘટના સીસીટીવ કેમેરામાં કેદ થઇ હતી. પરીવારોનો આરોપ છે કે પોલીસે વિક્રમની ફરિયાદ પર લાપરવાહીભર્યું વર્તન કર્યું. ફરિયાદ બાદના મામલે લાપરવાહી કરનારા પોલીસ ચોકી ઇંચાર્જને સસ્પેંડ કરવામાં આવ્યાં છે. એસએસપી કલાનિધિ નૈથાનીએ ચોકી ઇંચાર્જ રાઘવેંદ્રને સસ્પેંડ કર દિધી છે. આ સાથે જ પૂરા મામલાની તપાસ ક્ષેત્રાધિકારી પ્રથમને સોંપવામાં આવી છે.
આ વચ્ચે પત્રકાર વિક્રમ જોશી પર જીવલેણ હુમાલા મામલામાં પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. આ ઘટના બાદ ગાઝિયાબાદ પોલીસે અત્યાર સુધીમાં 9 આરોપીઓની ધરપકડ કરી છે. આ સાથે બાકી આરોપીઓની ધરપકડ માટે એએસપી કલાનિધી નૈથાએ 6 પોલીસ ટીમ કામે લગાવી છે. આ સાથે જ પ્રતાપ વિહારની ચોકી ઇન્ચાર્જને સસ્પેંડ કરી દેવામાં આવ્યાં છે.