રિદ્ધિમાન સાહાએ એક પછી એક ખુલાસા કરીને હંગામો મચાવ્યો
એક પત્રકાર પર ઈન્ટરવ્યુ માટે તેને હેરાન કરવાનો આરોપ
સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યુ માટે ધમકી આપી
ટીમ ઈન્ડિયાના સ્ટાર વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ એક પછી એક ખુલાસા કરીને હંગામો મચાવ્યો છે. વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ હાલમાં જ એક પત્રકાર પર ઈન્ટરવ્યુ માટે તેને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો, જેના પછી બીસીસીઆઈ કડક રીતે આ મામલાની તપાસ કરશે. વાસ્તવમાં, વિકેટ કીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાએ પત્રકારની વોટ્સએપ વાતચીતનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો જે તેને સોશિયલ મીડિયા પર ઇન્ટરવ્યુ માટે ધમકી આપી રહ્યો હતો.
સાહાના આ સનસનીખેજ ખુલાસાથી BCCI એક્શનમાં
વિકેટકીપર બેટ્સમેન રિદ્ધિમાન સાહાના આ આરોપો બાદ હવે BCCI એક્શનમાં આવી ગયું છે. બીસીસીઆઈએ આ મામલામાં દોષિતો સામે કડક કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે. એક મીડિયા રિપોર્ટના સૂત્રોના જણાવ્યા મુજબ બીસીસીઆઈના સૂત્રોને ટાંકીને કહ્યું કે બોર્ડ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરશે. સાહા એવા ખેલાડીઓમાંથી એક છે જેનો બોર્ડ સાથે કરાર છે. આવી સ્થિતિમાં બોર્ડ તેના ખેલાડીઓને એકલતામાં નહીં છોડી શકે.
બોર્ડે મોટી કાર્યવાહી કરવાનો નિર્ણય લીધો છે
બીસીસીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ તેને હળવાશથી ન લઈ શકે. BCCI તેની તપાસમાં એ પણ શોધી કાઢશે કે શું ભૂતકાળમાં પણ કોઈ ક્રિકેટરને આવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. જો કે, તે પહેલા બીસીસીઆઈએ સાહાને આ અજાણ્યા વ્યક્તિનું નામ જાહેર કરવા કહ્યું છે.
પત્રકારે આ ધમકી આપી હતી
ટ્વીટમાં સાહાએ લખ્યુ હતુ કે ભારતીય ક્રિકેટ ટીમમાં મારા તમામ યોગદાન બાદ એક તથાકથિત આદરણીય પત્રકાર તરફથી મારે આ સાંભળવુ પડે છે. પત્રકારકતા જુઓ ક્યાં પહોંચી ગઇ છે. આ સાથે જ એક ચેટ શેર કરી જેમાં લખ્યુ હતુ કે મારી સાથે ઇન્ટરવ્યુ કરી લે, તે તારા માટે વધુ સારુ રહેશે. તારે એવા પત્રકારને પસંદ કરવા જોઇએ જે તારા માટે ફાયદાકારક હોય. તે ફોન કર્યો નહી, હું તારુ ફરીથી ઇન્ટરવ્યુ કરીશ નહી. હું બેઇઝતી ભૂલતો નથી અને તેને યાદ રાખીશ. તારે આવુ ન્હોતુ કરવા જેવું.
After all of my contributions to Indian cricket..this is what I face from a so called “Respected” journalist! This is where the journalism has gone. pic.twitter.com/woVyq1sOZX
રિદ્ધિમાન સાહાની આ ટ્વિટ બાદ ક્રિકેટ જગતમાં ખળભળાટ મચી ગયો. વીરેન્દ્ર સહેવાગ,હરભજનસિંઘ સહિત ક્રિકેટર્સે આ મામલે પોતાની પ્રતિક્રિયા આપી અને તે પત્રકારનું નામ જાહેર કરવા કહ્યું.