પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબર દ્વારા દાખલ કરવામાં આવેલ એક કેસમાં પત્રકાર પ્રિયા રમાની વિરુદ્ધ માનહાિનના આરોપો ઘડવામાં આવ્યા છે. પત્રકાર રમાનીએ એમ.જે. અકબર પર યૌનશોષણનો આરોપ મૂક્યો હતો અને ત્યારબાદ તેમણે પત્રકાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો
દિલ્હીની એક અદાલત દ્વારા પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબર દ્વારા દાખલ કરવામાં આવેલ એક કેસમાં પત્રકાર પ્રિયા રમાની વિરુદ્ધ માનહાિનના આરોપો ઘડવામાં આવ્યા છે. પત્રકાર રમાનીએ એમ.જે. અકબર પર યૌનશોષણનો આરોપ મૂક્યો હતો અને ત્યારબાદ તેમણે પત્રકાર વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જોકે એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સમર વિશાલ સમક્ષ રજૂ થયેલ રમાનીએ સ્વયંને નિર્દોષ ગણાવ્યા હતા અને જણાવ્યું હતું કે તેઓ સુનાવણીનો સામનો કરશે.
ગઈ સાલ ૭ ઓક્ટોબરના રોજ કેન્દ્રીય પ્રધાનપદેથી રાજીનામું આપનારા એમ.જે. અકબરે ભારતમાં #Me Too અભિયાન દરમિયાન સોશિયલ મીડિયા પર પોતાનું નામ જાહેર થયા બાદ રમાની વિરુદ્ધ ગુનાઇત માનહાિનનો કેસ દાખલ કર્યો હતો. પત્રકાર રમાનીએ એમ.જે. અકબર પર યૌનશોષણનો આરોપ મૂક્યો હતો, પરંતુ એમ.જે. અકબરે તેને રદિયો આપ્યો હતો. દિલ્હીની અદાલતે હવે આ મામલાની સુનાવણી ૪ મે પર મુકરર કરી છે અને રમાનીને વ્યક્તિગત રીતે હાજર રહેવામાંથી કાયમી રાહત મંજૂર કરી છે.
પત્રકાર રમાનીનો આક્ષેપ છે કે ૨૦ વર્ષ પૂર્વે એમ.જે. અકબર જ્યારે પત્રકાર હતા ત્યારે તેમણે તેમનું યૌનશોષણ કર્યું હતું, જોકે પૂર્વ કેન્દ્રીય પ્રધાન એમ.જે. અકબરે આ આરોપોને ફગાવી દીધા હતા. એમ.જે. અકબર પર અન્ય કેટલીક મહિલાઓએ આરોપ મૂક્યા હતા. ભારતમાં ગઈ સાલ #Me Too અભિયાને જોર પકડ્યું ત્યારે અકબરનું નામ સોશિયલ મીડિયામાં આવ્યું હતું.
એ વખતે તેમણે ૧૭ ઓક્ટોબરે કેન્દ્રીય પ્રધાનમંડળમાંથી રાજીનામું આપ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે, પત્રકાર એમ.જે. અકબર પર યૌનશોષણનો આરોપ મુકનારાઓમાં અમેરિકામાં રહેતી એક પત્રકારનો પણ સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું હતું કે ૨૩ વર્ષ પહેલાં જયપુરની એક હોટલમાં એમ.જે. અકબરે તેનું યૌનશૌષણ કર્યું હતું.