ટીવીનો પ્રખ્યાત શૉ તારક મહેતા...માં હાલમાં જબરદસ્ત ટ્વિસ્ટ આવ્યો છે. પોપટલાલની નોકરી કોરોનાકાળમાં જતી રહી છે ત્યારે તેમની સાથે ગોકુલધામના લોકો પણ પરેશાન છે. આજીવિકા માટે પોપટલાલે એક રસ્તો શોધી કાઢ્યો છે અને લારી લઇને ગલી ગલી શાકભાજી વેચી રહ્યાં છે.
પોપટલાલની નોકરી જતી રહી બાદમાં તેમને ખુબ મોટો ધક્કો લાગ્યો હતો. તે ઘણા સમયથી પરેશાન હતા અને બાદમાં તેમણે હિંમત એકઠી કરીને શાકભાજી વેચવાનું કામ શરૂ કરી દીધું.
પોપટલાલે શાકની લારીનું નામ પણ રાખ્યુ છે. આ નામ પણ ખુબ રસપ્રદ છે. લારીની આગળ લખ્યુ છે કુંવારો પોપટલાલ શાકવાળો.
પોપટલાલે પોતાની જ ગોકુલધામ સોસાયટીમાં શાક વેચ્યુ અને સોસાયટીની મહિલાઓએ શાક ખરીદ્યુ અને પોપટલાલને તેમના નવા કામ માટે સપોર્ટ કરશે તેવું પણ કહ્યું.
પોપટલાલ પોતાના આ નવા બિઝનેસથી ખુબ જ ખુશ છે, તેની તસવીરો પણ વાયરલ થઇ રહી છે. મહત્વનું છે કે પોપટલાલે ઘણા નવા કામ કરવાનો પ્રયત્ન કર્યો અને ગોકુલધામ સોસાયટીના લોકોએ તેમને મદદ પણ કરી હતી અને સપોર્ટ કર્યો હતો.
પોપટલાલની મદદ કરવા માટે રોશન સિંહ સોઢીએ તેને ગેરેજનું કામ પણ શીખવાડ્યુ પરંતુ તે કામ પોપટલાલને ફાવ્યુ નહી.
તે સિવાય તેણે તારક મહેતા પાસેથી કામ શીખવાનો પ્રયત્ન કર્યો હતો. આ પ્રસંગથી તે સાબિત થાય છે કે ગોકુલધામ સોસાયટીના લોકો મુસિબતમાં એકબીજા સાથે ઉભા રહે છે અને સપોર્ટ કરે છે.