અમદાવાદમાં થયેલ પત્રકાર ચિરાગ પટેલના મોતનો મામલે ચિરાગ પટેલના પરિવારજનો ગૃહરાજ્યમંત્રીને મળ્યા હતા અને આ મામલાને ગંભીરતાથી લઈ તટસ્થ રીતે પોલીસ તપાસ કરવા માટે રજૂઆત કરી હતી. પત્રકારની હત્યાને લઈને કોંગ્રેસના નેતાઓએ સરકાર અને કાયદો વ્યવસ્થા પર સવાલ ઉભા કર્યા છે.
સોશિયલ મીડિયા પર પત્રકારની હત્યાના વિરોધમાં કેમ્પેઈન ચાલતા સરકાર અને વિપક્ષો હરકતમાં આવ્યા છે. રાજીવ સાતવ બાદ અમિત ચાવડાએ પણ આ મામલે ટ્વિટ કર્યું છે. અમિત ચાવડાએ અમદાવાદ પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ હત્યાને લઇ સવાલ ઉઠાવ્યા છે. જાંબાઝ, યુવા અને નિડર પત્રકારના મોતના સમાચારથી દુ:ખી થયા હોવાની ચાવડાએ લાગણી વ્યકત કરી છે.
Shocked & Saddened by the news of the death of young, bright & fearless Journalist @chiragpatel0055. May his soul RIP.
His death under mysterious circumstances & lackluster attitude of Gujarat Police raises many questions.
Hope guilty will be bought to the book#Justice4Chiragpic.twitter.com/je9zrbyb8P
સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગ, જાગો અમદાવાદ જાગોના લોકો પોસ્ટ કરી રહ્યા છે. રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટ કરીને લોકો સીએમ રૂપાણી અને ડીસીપી ઝોન-5ને ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે. પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં કોઇ કચાસ ન રાખવા સૂચના અપાઇ છે. ચિરાગ પટેલના પરિવારજનોને ન્યાય માટે સરકાર કટિબદ્ધ છે અને પોલીસ તંત્રને પણ કડક સૂચના અપાઇ છે.
ત્રકાર ચિરાગ પટેલની હત્યાના પડઘા દિલ્હીમાં પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે #Justice4Chirag સાથે ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. રાજીવ સાતવે કહ્યું કે, ગુજરાતમાં પત્રકારની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. ભાજપના રાજમાં ખરાબ કાયદા વ્યવસ્થાની સ્થિતિનું આ બીજુ અનુસ્મારક છે.ગુજરાતમાં ભાજપ શાસનમાં કોઇ સલામત નથી. પ્રેસના સભ્યોને પણ ટાર્ગેટ કરી હત્યા કરાઇ રહી છે.
મહત્વનું છે કે, નિકોલમાં રહેતા અને ગુજરાતી ન્યૂઝ ચેનલના કોપી એડિટર ચિરાગ પટેલનો મૃતદેહ કઠવાડા ટેબલી હનુમાન મંદિર નજીક કેનાલ પાસેથી ખુલ્લી જગ્યામાંથી સળગેલી હાલતમાં મળી આવ્યો હતો. કોઈએ હત્યા કરી પુરાવાના નાશ કરવા માટે મૃતદેહ સળગાવી દીધો કે, કોઈક કારણોસર આપઘાત કર્યો છે તે અંગે હજી સુધી પોલીસ તપાસમાં કોઇ જ ખુલાસો થયો નથી. જો કે પોલીસનાં જણાવ્યાં પ્રમાણે તેનું સ્પ્લેન્ડર બાઇક, પર્સ અને આઇકાર્ડ 20 ફુટ દુર મળી આવ્યા હતા, પરંતુ તેનો મોબાઇલ મળ્યો નથી. છેલ્લે તેણે શુક્રવારે સાંજે તેના ભાઇને કોલ કર્યો હતો.
આ ઉપરાંત તેણે રૂપિયા 10 હજાર આસપાસનું આરટીજીએસ કોઇને કરાવ્યું હતુ. જ્યારે પીએમના પ્રાથમિક રિપોર્ટમાં સળગી જવાથી મોત થયાનું ખુલ્યું હતું. તો જોવાનું એ રહે છે કે, પોલીસ આ અંગે ગંભીરતાથી ક્યારે તપાસ કરશે અને ક્યારે તેના હત્યારાઓ સુધી પહોંચશે?