અમદાવાદમાં ખાનગી ચેનલમાં પત્રકાર તરીકે ફરજ બજાવતા ચિરાગ પટેલની ડેડબોડી મળી આવી હતી. આ ઘટનાને 72 કલાક થયા બાદ પણ અત્યાર સુધી આરોપીઓની ધરપકડ થઈ નથી. 72 કલાક બાદ આરોપીઓ ન ઝડપાતા લોકોએ સોશિયલ મીડિયામાં એક અભિયાન શરૂ કર્યુ છે.
સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગ, જાગો અમદાવાદ જાગોના લોકો પોસ્ટ કરી રહ્યા છે. રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટ કરીને લોકો સીએમ રૂપાણી અને ડીસીપી ઝોન-5ને ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે.
પત્રકાર ચિરાગ પટેલની શંકાસ્પદ હત્યાને લઇ @BJP4Gujarat નું નિવેદન
ચિરાગના પરિવાર સાથે ભાજપની સંવેદનાઓ,પરિવારની લાગણી સાથે ભાજપની લાગણી જોડાયેલી છે, #CM અને ગૃહ મંત્રીએ તપાસના આદેશ આપ્યા છે.@CMOGuj#Justice4Chirag
મહત્વનુ છે કે, શહેરના નિકોલમાં આવેલા કઠવાળા ટેબલી હનુમાન રોડ પર આવેલી કેનાલ પાસેથી એક ડેડબોડી મળી આવી હતી. આ ઘટનાની જાણ થતા પોલીસકર્મીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
અત્રે જણાવી દઇએ કે, પોલીસને ડેડબોડી પાસેથી યુવકનુ સ્પલેન્ડર બાઇક અને આઈ કાર્ડ મળી આવ્યું. આઈકાર્ડના આધારે પોલીસે ચિરાગની ઓળખ કરી હતી. ચોથી જાગીર કહેવાતા પત્રકારો જ રાજ્યમાં સુરક્ષિત ન હોય તો લોકો કેવી રીતે સુરક્ષિત હોય તે પ્રકારના પોલીસ પર લોકો સવાલ પણ ઉઠાવી રહ્યા છે.
#justice4chirag અભિયાન હાથ ધરાયું
3 દિવસ પહેલા ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલનો મૃતદેહ મળી આવ્યો હતો. 3 દિવસ થયા બાદ પણ અત્યાર સુધી પોલીસને આરોપીઓની કોઈ પણ કડી મળી નથી. 3 દિવસ બાદ પણ આરોપી હજી પણ પોલીસ પકડથી દુર છે. આરોપીઓ ન પકડાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
ત્યારે હવે સોશિયલ મીડિયામાં ચિરાગને ન્યાય મળે તે માટે અભિયાન શરૂ કર્યુ છે. સોશિયલ મીડિયામાં જસ્ટિસ ફોર ચિરાગ, જાગો અમદાવાદ જાગોના લોકો પોસ્ટ કરી રહ્યા છે. રાજ્યમાં પત્રકારો પણ સુરક્ષિત ન હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે. આ પોસ્ટ કરીને લોકો સીએમ રૂપાણી અને ડીસીપી ઝોન-5ને ટેગ કરીને પોસ્ટ કરી રહ્યા છે.
ભાજપ પ્રવક્તાનું નિવેદન
પત્રકાર ચિરાગ પટેલની હત્યા મામલે ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું કે, મુખ્યમંત્રી અને ગૃહમંત્રીએ તપાસના આદેશ આપ્યા છે. તપાસમાં કોઇ કચાસ ન રાખવા સૂચના અપાઇ છે. ચિરાગ પટેલના પરિવારજનોને ન્યાય માટે સરકાર કટિબદ્ધ છે અને પોલીસ તંત્રને પણ કડક સૂચના અપાઇ છે.
પત્રકાર ચિરાગ પટેલની હત્યાના પડઘા દિલ્હીમાં પડ્યા છે. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવે #Justice4Chirag સાથે ટ્વીટ કરી ભાજપ સરકાર પર પ્રહાર કર્યા. રાજીવ સાતવે કહ્યું કે, ગુજરાતમાં પત્રકારની હત્યાના સમાચારથી સ્તબ્ધ છું. ભાજપના રાજમાં ખરાબ કાયદા વ્યવસ્થાની સ્થિતિનું આ બીજુ અનુસ્મારક છે.ગુજરાતમાં ભાજપ શાસનમાં કોઇ સલામત નથી. પ્રેસના સભ્યોને પણ ટાર્ગેટ કરી હત્યા કરાઇ રહી છે.
સળગતા સવાલ
પત્રકાર ચિરાગ પટેલની હત્યાને લઇને ઉઠતા સવાલ
3 દિવસ થયા, કેમ નથી મળતું પગેરૂ?
શું તપાસમાં DCP અક્ષયરાજની ટીમ નિષ્ફળ ?
આરોપી સુધી પહોંચવામાં ક્રાઇમ બ્રાંચની ટીમ પણ નિષ્ફળ
શું હત્યાને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે?
પોલીસ કેમ હજુ ભટકી રહી છે?
ચિરાગ પટેલને મળશે ન્યાય?
ચિરાગ સમાજ માટે શું કરતો હતો કે જેના કારણે તેના દુશ્મનો વધ્યા?
CCTVમાં ચિરાગ ચિલોડામાં દેખાયો, તો પછી તપાસ કેમ નહીં?
કોલ ડિટેઇલ આધારે કેમ નથી મળતી કળી?
શું કોઇના દબાણવશ કામ કરી રહી છે પોલીસ?