કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહએ પાંચ કેન્દ્રીય મંત્રીઓની સાથે એક મહત્વની બેઠક કરી હતી. જોશીમઠની હાલની પરિસ્થિતિમાં લોકોને કેવી રીતે રાહત પહોંચાડવામાં આવે તે વિષયે ચર્ચા કરવામાં આવી હતી.
ગૃહમંત્રી અમિત શાહે જોશમીઠ મુદે કરી બેઠક
પાંચ કેન્દ્રીય મંત્રીઓ સાથે કરી સ્થિતિની ચર્ચા
CM પુષ્કર ધામી સાથે ફોન પર કરી વાત
ઉત્તરાખંડનાં જોશીમઠમાં ભૂસ્ખલનનાં મામલામાં લોકોને સુરક્ષિત સ્થળો પર ખસેડવાનું કાર્ય ચાલુ છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જોશીમઠની સ્થિતિને ધ્યાનમાં લઈને પાંચ કેન્દ્રીય મંત્રીઓની સાથએ અગત્યની મિટીંગ કરી હતી. બેઠકમાં કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નિતિન ગડકરી, જળશક્તિ મંત્રી ગજેન્દ્ર શેખાવત, પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ અને ઊર્જા મંત્રી આર.કે.સિંહ પણ હાજર રહ્યાં હતાં.
Union Home Minster Amit Shah chaired a high-level meeting on Joshimath situation with Union ministers Nitin Gadkari, RK Singh, Bhupendra Yadav and Gajendra Singh Shekhawat: Sources
CM ધામી સાથે કરી વાત
બેઠક પહેલાં ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી સાથે ફોન પર વાત કરી હતી. શાહે જોશીમઠની વર્તમાન પરિસ્થિતિ વિષયક માહિતી CM પાસેથી મેળવી અને પ્રદેશને દરેક શક્ય મદદ કરવાનું આશ્વાસન પણ આપ્યું હતું. BJPનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાએ પણ જોશીમઠ મુદે CM ધામી સાથે વાત કરી હતી.
જરૂર પડશે તો ત્યાં જશું- રક્ષામંત્રી રાજનાથસિંહ
રક્ષામંત્રી રાજનાથસિંહે જોશીમઠનાં મુદે કહ્યું કે ' ઉત્તરાખંડની સરકાર જોશીમઠ પર સમાધાન કાઢવાનો પ્રયાસ કરી રહી છે અને PM નરેન્દ્ર મોદી પણ મુદા પર નજર રાખી રહ્યાં છે. કેન્દ્ર સરકારનો પણ પૂરેપરો સહયોગ છે. મેં રક્ષા રાજ્યમંત્રી અજય ભટ્ટને સ્થળ પર મોક્લયાં હતાં, આગળ જરૂર પડી તો ત્યાં જઈશું.'
જોશીમઠમાં CMએ કરી સ્થિતિની સમીક્ષા
મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી હાલમાં જોશીમઠનાં પ્રવાસે છે. મુખ્યમંત્રીએ ગુરૂવારે એક અગત્યની બેઠક કરી હતી. આ બેઠકમાં સ્થાનીય જનપ્રતિનિધિ અને કેટલાક સ્થાનિક લોકો પણ શામેલ થયાં હતાં. આ દરમિયાન શાસન-પ્રશાસનની સાથે તાલમેલ જાળવી રાખવાની પણ વાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે જે લોકો પ્રભાવિત છે જેમને જાનમાલની સુરક્ષા કરી અને આગળનો માર્ગ તૈયાર કરવાની અમારી પ્રાથમિકતા છે.