જો યુરિક એસિડને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો લીવર, કિડની અને હાર્ટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે આ ઋતુમાં કઇ શાકભાજીઓનું વધારે સેવન ન કરવું જોઈએ.
આ શાકભાજીનું ન કરો વધારે પડતુ સેવન
સ્વાસ્થ્ય પર થઈ શકે છે નુકસાન
લીવર, કિડની અને હાર્ટના સ્વાસ્થ્ય પર પડશે ખરાબ અસર
આજકાલ લોકો ખરાબ જીવનશૈલી અને કસરતના અભાવને કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આમાંની એક સમસ્યા છે યુરિક એસિડ વધવાનો ખતરો. મોટાભાગે જ્યારે કિડની યોગ્ય રીતે યુરિક એસિડને બહાર ન કાઢી શકે ત્યારે યુરિક એસિડનું પ્રમાણ વધી જાય છે.
યુરિક એસિડની સમસ્યા ધરાવતા લોકોને સાંધામાં દુખાવો, મસલ્સ ઝડકાઈ જવુ અને સોજો જેવી સમસ્યાઓ થઈ શકે છે. યુરિક એસીડ વધવાના અન્ય કારણોમાં યુરિક એસીડ વધતો ખોરાક, વજનમાં વધારો, ડાયાબીટીસ અને આલ્કોહોલનું સેવન પણ હોઈ શકે છે.
આ અંગો પર પડી શકે છે ખરાબ અસર
આટલું જ નહીં જો યુરિક એસિડને સમયસર કંટ્રોલ કરવામાં ન આવે તો લીવર, કિડની અને હાર્ટના સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવી રહ્યા છીએ કે કઈ શાકભાજીઓનું વધુ સેવન ન કરવું જોઈએ, નહીં તો શરીરમાં યુરિક એસિડની માત્રા વધી શકે છે. હકીકતે શરીરમાં પ્યુરિન નામના તત્વના અયોગ્ય પાચનને કારણે અથવા પ્યુરિનનું પ્રમાણ ધરાવતી શાકભાજીના સેવનથી યુરિક એસિડ વધે છે.
બીન્સ
કઠોળના સેવનથી શરીરમાં પ્યુરિનનું પ્રમાણ વધે છે. આ સ્થિતિમાં યુરિક એસિડ વધી શકે છે. તેથી જે લોકોને યુરિક એસિડ વધવાની સમસ્યા છે. તેઓએ વધુ માત્રામાં કઠોળનું સેવન ન કરવું જોઈએ.
પાલક
પાલકના સેવનથી યુરિક એસિડ પણ વધી શકે છે. પાલકમાં પ્યુરિન પણ હોય છે, જે યુરિક એસિડનું સ્તર વધારે છે.
મટર, મશરૂમ
સૂકા વટાણામાં પ્યુરિન પણ જોવા મળે છે. આવી સ્થિતિમાં જે લોકોનું યુરિક એસિડ વધી ગયું છે. તેમણે સૂકા વટાણાનું સેવન ન કરવું જોઈએ. મશરૂમમાં પ્યુરિન પણ વધુ માત્રામાં હોય છે. તેથી યુરિક એસિડની સમસ્યા ધરાવતા લોકોએ મશરૂમ ન ખાવા જોઈએ.
રીંગણ અને અરબી
રીંગણ અને અરબી ખાવાથી પણ શરીરમાં યુરિક એસિડ વધે છે. આનાથી સાંધામાં દુખાવો અને તે ઝડકવાની સમસ્યા થઈ શકે છે. બીજી તરફ રીંગણનું સેવન કરવાથી શરીરમાં બળતરાની સમસ્યા વધી શકે છે.