સાંધાના દુખાવાની ફરિયાદ કોઈપણ ઉંમરે થઈ શકે છે. એટલે કે આર્થરાઈટિસથી પીડિત લોકોએ તેમની જીવનશૈલી અને ખાનપાનમાં થોડો ફેરફાર કરવો પડશે.
કોઈ પણ ઉંમરમાં થઈ શકે છે સંધિવા
રોજ-રોજ થતા દુખાવાને ન અવગણો
નહીં તો થશે મોટી મુશ્કેલીઓ
બદલાતી જીવનશૈલી અને ખાવા-પીવાની આદતોના કારણે મોટા ભાગના લોકોમાં સાંધાના દુખાવાની સમસ્યા સામાન્ય રીતે નાની ઉંમરમાં જ શરૂ થઈ જાય છે. આવી સ્થિતિમાં જો તમને સતત દુખાવો રહેતો હોય તો તેને હળવાશથી ન લો. કારણ કે તે આર્થરાઈટિસનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. હવે એ જરૂરી નથી કે આર્થરાઈટીસ એટલે કે સંધિવા જેવો રોગ વૃદ્ધાવસ્થામાં જ થાય. તે કોઈપણ ઉંમરે થઈ શકે છે.
આ લક્ષણ જણાય તો હોઈ શકે છે સંધિવા
હકીકતે શરીરના સાંધામાં દુખાવાની સમસ્યાને આર્થરાઈટિસ કહેવાય છે. જો કે દરેક પ્રકારનો સાંધાનો દુખાવો સંધિવા નથી હોતો. આ કોઈ ઈજાને કારણે અથવા શરીરમાં પોષણની અછતને કારણે અથવા અન્ય કારણોસર થઈ શકે છે. તો ચાલો જાણીએ કે આર્થરાઈટીસના શરૂઆતના લક્ષણો શું છે અને તેના કયા પ્રકારો છે.
સંધિવાના બે પ્રકાર છે
સંધિવાના બે પ્રકાર છે. ઑસ્ટિયોઆર્થરાઇટિસ અને રૂમેટાઈડ ઓર્થરાઈટિસ. ઑસ્ટિયોઆર્થરાઇટિસમાં જોઈન્ટ્સના ટિશ્યુ ખૂબ જ કડક થઈ જાય છે અને હાડકાંના છેડાને આવરી લેતા ટીશ્યુ ખતમ થવા લાગે છે. આ જ કારણ છે કે ઉઠતી વખતે અને બેસતી વખતે અથવા હલનચલન કરતી વખતે સાંધામાં ખૂબ દુખાવો થાય છે.
જાણો શું છે રુમેટોઈડ ઑર્થરાઈટીસ
બીજી તરફ રુમેટોઈડ ઑર્થરાઈટીસ હાડકાંનો એક એવો રોગ છે, જેમાં શરીરની રોગપ્રતિકારક શક્તિ પોતે જ સાંધા પર હુમલો કરવાનું શરૂ કરે છે. આ રોગની શરૂઆત જ સાંધાના બંને હાડકાના પડ અથવા કહો છેડાથી થાય છે.