સરકારે શનિવારે કહ્યું કે જીવનસાથી પેન્શન માટે જોઈન્ટ બેંક અકાઉન્ટ ફરજિયાત નથી.
રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પીએમ માને છે કે સમાજ માટે કામ કરતા લોકો દેશમાં માટે મૂલ્યવાન
પેન્શન માટે પતિ અથવા પત્નીની સાથે સંયુક્ત ખાતાના ફરજિયાતપણામાંથી છુટ અપાઈ
કેન્દ્ર સરકારે પેન્શન આપવાનારી તમામ બેંકોને સલાહ આપી કે...
રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે પીએમ માને છે કે આવા લોકો દેશમાં માટે મૂલ્યવાન છે
કેન્દ્રીય શ્રમ, લોક ફરિયાદ અને પેન્શન રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદી સરકારે હમેશા સેવા નિવૃત અને પેન્શન ભોગી કર્મચારીઓ સહિત સમાજના તમામ વર્ગોના જીવનને સુગમ બનાવવા માટે કામ કર્યું છે. તેમણે આવા લોકોના અનુભવ અને લાંબા સેવાકાળને જોતા દેશમાં માટે મૂલ્યવાન ગણાવ્યું છે.
પેન્શન માટે પતિ અથવા પત્નીની સાથે સંયુક્ત ખાતાના ફરજિયાતપણામાંથી છુટ અપાઈ
એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યાનુંસાર જો કાર્યકાલ પ્રમુખ એ વાતથી સંતુષ્ટ છે કે સેવા નિવૃત્ત થનારા સરકારી કર્મચારીઓ માટે પોતાની પહોંચની બહાર કોઈ કારણથી પોતાના પતિ અથવા પત્નીની સાથે સંયુક્ત ખાતું ખોલવું શક્ય નથી તો આ ફરજિયાતતામાંથી ઢીલ આપી શકાય છે.
કેન્દ્ર સરકારે પેન્શન આપવાનારી તમામ બેંકોને સલાહ આપી કે...
કેન્દ્ર સરકારે પેન્શન આપવાનારી તમામ બેંકોને સલાહ આપી છે કે જો પતિ અથવા પત્ની પરિવાર પેન્શન મેળવા માટે હાજર સંયુક્ત બેંક અકાઉન્ટનો વિકલ્પ પસંદ કરે છે તો બેંકોને નવું અકાઉન્ટ ખોલવા પર ભાર ન મુકવો જોઈએ.
શ્રમ મંત્રાલય દ્વારા જારી નિવેદનમાં કહેવામાં આવ્યું કે હાલમાં પતિ અથવા પત્નીની સાથે એક સંયુક્ત બેંક ખાતું હોવું ઈચ્છનીય છે. સિંહે કહ્યું કે આ ખાતાનું સંચાલન પેન્શનભોગીની ઈચ્છાનુંસાર ભૂતપૂર્વ કે સર્વાઈવર અથવા બન્નેમાંથી કોઈ એક અથવા સર્વાઈવરના આધાર પર હશે.