નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરોએ ડ્રગ્સ મામલે કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાની ધરપકડ કરી છે અને તેમને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા છે. બંનેએ બેલ માટે પણ અરજી કરી છે જેના વિશે આજે સુનાવણી થશે. ત્યારે ભારતી અને હર્ષની આવી હરકતથી ભારતીય કોમેડી જગતના લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે. હાલમાં જ રાજુ શ્રીવાસ્તવે કમેન્ટ કરી હતી અને હવે કોમેડી કિંગ કહેવાતા જોની લીવરે પણ આ મામલે મત રજૂ કર્યો છે.
ભારતીની ધરપકડ બાદ કોમેડી જગતના લોકો પ્રતિક્રિયા આપી રહ્યાં છે
રાજુ શ્રીવાસ્તવ બાદ હવે જોની લિવરે કહી આ વાત
ભારતીને આ કામ કરવાનું કહ્યું
જોની લીવર સંજય દત્તનું ઉદાહરણ આપતા એ બંનેને પોતાની ભૂલ કબૂલ કરવાની સલાહ આપી છે. જોનીએ કહ્યું- બંનેએ જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના મિત્રો સાથે આ અંગે વાત કરવી જોઈએ અને બધાંને ડ્રગ્સનું સેવન ન કરવાની સલાહ આપવી જોઈએ. સંજય દત્તને જુઓ, તેણે દુનિયાની સામે પોતાની ભૂલ સ્વીકારી અને ડ્રગ્સને છોડવાનું સંકલ્પ લીધું. કોઈ આના માટે તમને ફૂલોનો બુકે નહીં આપે.
જોની લીવરે આગળ કહ્યું- ડ્રગ્સનું સેવન હવે એક ટ્રેન્ડ બની રહ્યો છે. એક સમયે દારૂનો ટ્રેન્ડ હતો. મને પણ દારૂની લત હતી, પરંતુ, મને સમજાયું કે તે મને નુકસાન કરી રહ્યું છે, મેં દારૂ પીવાનું બંધ કર્યું. આલ્કોહોલ માત્ર મારા સ્વાસ્થ્યને જ નહીં, ક્રિએટિવિટીને પણ અસર કરી રહ્યો હતો.
તમને જણાવી દઈએ કે ભારતીના ઘરેથી ગાંજો મળી આવ્યો છે. 21 નવેમ્બરે એનસીબીએ ભારતીના ઘરે અને ઓફિસમાં રેડ કરી હતી. જે બાદ ભારતી અને તેના પતિની ધરપકડ કરવામાં આવી હતી.