જોનસન એન્ડ જોનસન કંપની દ્વારા તેની વેક્સિનના ઈમર્જન્સી અપ્રુવલ માટે મંજૂરી માગી છે. આ વેક્સિન સિંગલ ડોઝ વેક્સિન છે.
ભારતમાં આવશે ચોથી વેક્સિન
જોનસન એન્ડ જોનસન કંપનીએ ઈમર્જન્સી યુઝ માટે માગી મંજૂરી
એકજ વખત લેવો પડશે આ વેક્સિનનો ડોઝ
અમેરિકાની ફાર્મા કંપની જોનસન એન્ડ જોનસન દ્વારા ભારતમાં વેક્સિન લાવવામાં આવશે. તેમની વેક્સિન સિંગલ ડોઝ વેક્સિન છે. કંપની દ્વારા ઈમર્જન્સી યુઝમાં વેક્સિનને યુઝ કરવા મંજૂરી માદવામાં આવી છે. જો મોદી સરકાર દ્વારા આ જોનસન એન્ડ જોનસનની વેક્સિનને મંજૂરી આપવામાં આવશે તો ભારતમાં આ ચોથી વેક્સિન હશે જે લોકો લઈ શકશે.
Johnson & Johnson applies for Emergency Use Authorization (EUA) of its single-dose COVID-19 vaccine to the Government of India pic.twitter.com/oNE7OYuM84
હાલ ભારતમાં કોવેક્સિન, કોવિશિલ્ડ અને રશીયાની સ્પૂતનિક વેક્સિન ઉપલબ્ધ છે. ત્રણેય વેક્સિન ડબલ ડોઝ વાળી વેક્સિન છે. અત્યાર સુધીમાં 49.53 કરોડ લોકોને વેક્સિન આપી દેવામાં આવી છે. પરંતુ જો જોનસન એન્ડ જોનસન વેક્સિનને મંજૂરી મળે છે. તો આ દેશની પહેલી સિંગલ ડોઝ વાળી વેક્સિન હશે.
ભારત માટે આ વેક્સિન ફાયદાકારક
ભારતની વસ્તી પ્રમાણે સિંગલ ડોઝ વાળી વેક્સિન લોકો માટે ફાયદાકારક રહેશે. અગાઉ કંપની દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ વેક્સિન લાવવા તૈયાર છે. સાથેજ તેઓ સરકાર સાથે આ મુદ્દે વાત કરી રહ્યા છે. હવે કંપની દ્વારા વેક્સિનના ઈમર્જન્સી યુઝ માટે મંજૂરી માગવામાં આવી છે. જેથી લોકો હવે એકજ ડોઝમાં વેકેસિન લઈ શકશે.
ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ
ઉલ્લેખનીય છે કે હાલ ભારતમાં ત્રીજી લહેરને લઈને ભયનો માહોલ ફેલાયેલો છે. જેથી જો આવા સમયે જોનસન એન્ડ જોનસનની વેક્સિનને અપ્રુવલ આપવામાં આવશે તો તે ઘણું ફાયદાકારક રહેશે. કારણકે સિંગલ ડોઝમાં આ વેક્સિન લોકો લઈ શકશે બીજો ડોઝ તેમને લેવાની જરૂર નહી પડે અને વેક્સિનેશન જેટલું વધશે સંક્રમણ તેટલુંજ કાબૂમાં રહેશે.