હું મોટા પડદાનો હીરો છુ અને હું ત્યાં રહેવા માગુ છુ. ઓટીટી પર થોડા પૈસામાં તૈયાર થવુ મને પસંદ નથી. આ વાત બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમે કહી છે. હાલમાં એક ઈન્ટરવ્યુ દરમ્યાન જ્યારે અભિનેતાને તેના ઓટીટી ડેબ્યુ અંગે પૂછવામાં આવ્યું ત્યારે અભિનેતાએ કહ્યું કે તેઓ ક્યારેય પણ ઓટીટી પ્લેટફોર્મ માટે કામ નહીં કરે.
બોલીવુડ અભિનેતા જ્હોન અબ્રાહમે એક ઈન્ટરવ્યુમાં મુકી પોતાની વાત
હું ક્યારેય OTT પ્લેટફોર્મ માટે કામ નહીં કરુ
એક નિર્માતા તરીકે મને OTT સ્પેસ પસંદ છે, પરંતુ અભિનેતા તરીકે નહીં
શું ઓટીટીથી છે જૉનને સમસ્યા?
તેમણે કહ્યું, હું મોટા પડદા પરનો હીરો છુ અને આ જ જગ્યા છે જ્યાં હું પોતાને જોવા માગુ છુ. હાલમાં હું એવી ફિલ્મો કરવા માગુ છુ, જે મોટા પડદા પર રીલીઝ થાય છે. મને આ વાતથી દુ:ખ થશે. જો કોઈ મારી ફિલ્મ અધવચ્ચે બંધ કરી દે કારણકે તેને વૉશરૂમ જવાનુ હતુ. આ સાથે હું 299 અથવા 499 રૂપિયામાં તૈયાર થવા માગતો નથી. મને તેનાથી સમસ્યા છે. જ્યારે અભિનેતાને પૂછવામાં આવ્યું કે શું તેમને ઓટીટીથી સમસ્યા છે? તો અભિનેતાએ કહ્યું, એક નિર્માતા તરીકે મને ઓટીટી સ્પેસ પસંદ છે. હું ઓટીટીના દર્શકો માટે ફિલ્મો પણ બનાવી રહ્યો છુ, પરંતુ એક અભિનેતા તરીકે, હું ક્યારેય ઓટીટી માટે કામ નહીં કરુ. હું ખૂબ સ્પષ્ટ છુ કે હું મોટા પડદા પર આવવા માગુ છુ.
આયુષ્માન ખુરાનાને બ્રેક અપાવી ચૂક્યા છે જૉન
ઉલ્લેખનીય છે કે જૉન અબ્રાહમ માત્ર એક અભિનેતા નહીં, પરંતુ એક નિર્માતા પણ છે. અભિનેતાએ સ્વીકાર કર્યો કે તે ઓટીટી માટે ફિલ્મોનુ નિર્માણ કરશે. પરંતુ વાત જ્યારે તેમની આવે છે ત્યારે તેઓ મોટા પડદે ચમકવા માગે છે. જૉન અબ્રાહમ એક સેલ્ફ મેડ સ્ટાર છે. અભિનેતાનો ઈન્ડસ્ટ્રીમાં કોઈ ગૉડફાધર નથી. પરંતુ આજે તે ઘણા નવા અભિનેતાઓના ગોડફાધર બની ગયા છે. જૉને આયુષ્માન ખુરાનાને અભિનેતા તરીકે પોતાનો પહેલો બ્રેક વિક્કી ડોનરમાં અપાવ્યો હતો.