ખેલના ગ્રાઉન્ડ પર દેશનું નામ રોશન કરનારા કેટલાક ખેલાડીઓ આ સમય COVID 19 વિરુદ્ઘ દેશવ્યાપી બંધ દરમિયાન પોલીસની ડ્યૂટી કરતા રસ્તાઓ પર આવેલા લોકોને પોતાના ઘરે રહેવા માટે આગ્રહ કરી રહ્યા છે.
આ ખેલાડીઓમાં વર્લ્ડકપ વિજેતા ક્રિકેટર જોગિંદર શર્મા, ભારતીય હૉકી ટીમના પૂર્વ કેપ્ટન રાજપાલ સિંહ, રાષ્ટ્રમંડળ ખેલના ગૉલ્ડ વિજેતા મુક્કેબાજ અખિલ કુમાર અને એશિયાઇ ખેલ ચેમ્પિયન કબડ્ડી ખેલાડી અજય ઠાકુર શામેલ છે. સ્પોર્ટ્સ જગતમાં તેમની ઉપલબ્ધિતઓના કારણે તેમને પોલીસની નોકરી મળી છે.
મોહાલીના ડીએસપી તરીકે કાર્યરત રાજપાલ સિંહે કહ્યુ કે, હું પોલીસમાં કાયમી નોકરી કરી રહ્યો છું અને આ સમયે મુખ્ય કામ લોકડાઉનનું પાલન કરવાનું છે આ સાથે જ જરૂરિયાતમંદોને વસ્તુઓ ઉપલબ્ધ કરાવવા પર પણ અમારું ધ્યાન છે. અમે પ્રયાસ કરી રહ્યા છીએ કે તેઓ ધૈર્ય રાખે અને તેમને તકલીફોમાંથી બહાર નીકાળી શકીએ.
T-20 વર્લ્ડકપ 2009ના ફાઇનલમાં પાકિસ્તાન સામે શાનદાર અંતિમ ઑવર નાખનારા જોગિંદર શર્માએ કહ્યુ કે, હું 2007 થી હરિયાણામાં ડીએસપી છું. આ સમયે એક અલગ પ્રકારની મુશ્કેલી સામે આવી છે.અમારી ડ્યુટી સવારે 6 વાગ્યાથી શરૂ થઇ જાય છે. જેમાં લોકોને જાગૃત કરવા, બંધનું પાલન કરાવવુ અને સારવાર સુવિધાઓ આપવાનું શામેલ છે.
A post shared by AJAY THAKUR (@ajaythakurkabaddi) on
ગુરુગ્રામ પોલીસમાં એસપી અને 2006 ઓલિમ્પિકમાં ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારા અખિલ કુમારે કહ્યુ કે, અમે લોકોનો સહયોગ કરી રહ્યા છીએ. જરૂરી સામામ મળવાથી ધારે ગભરાટ નથી. લોકડાઉનનું ચુસ્તપણ પાલન કરવાથી જ વાયરસ અટકશે. લોકો પણ સમજી રહ્યા છે.
ઉલ્લ્ખેનીય છે કે, પોતાના 38માં જન્મદિવસ પર અખિલ કુમારે પોતાના દોસ્તો પાસેથી પૈસા એકઠા કરીને જરૂરિયાતમંદોને ખાવા-પીવાનો સામાન અને સેનિટાઇઝર્સ આપી રહ્યા છે.