રાજસ્થાનના જોધપુરમાં એક રોડ અકસ્માતની ઘટનામાં 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં છે.
રાજસ્થાનના જોધપુરમાં ગમખ્વાર અકસ્માત
5 લોકોના કમકમાટીભર્યા મોત
બચાવ કામગીરી યુદ્ધના ધોરણે શરૂ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, આ દુર્ઘટના જોધપુરના ફલોદીમાં થઇ હતી. જેમાં મિની ટૂરિસ્ટ બસ અને ટ્રેલર વચ્ચે જોરદાર અથડામણ થઈ હતી. જેમાં 5 લોકોના ઘટના સ્થળે જ કમકમાટીભર્યા મોત થયાં હતા અને 6 બાળકો સહિત 12 લોકોને ગંભીર ઇજાઓ પહોંતી હતી.
બચાવ કામગીરી શરૂ
પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે, મરનાર તમામ લોકો દિલ્હીના રહેવાસી છે અને હાલ સ્થાનિક પોલીસને જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચી છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી છે.
ઘટનામાં 5 લોકોના મોત
પોલીસના જણાવ્યા પ્રમાણે, જોધપુર જિલ્લાના બાપ વિસ્તારમાં વહેલી સવારે એક ભીષણ માર્ગ અકસ્માતની ઘટના સર્જાઇ હતી. આ ઘટનામાં 5 લોકોના મોત થયાં છે અને 6 બાળકો સહિત 12 લોકો ઘાયલ થઈ હતી. પોલીસ અધિકારી હરિસિંહ રાજપુરોહિતે જણાવ્યું કે, દિલ્હીથી આવેલા મુસાફરો મિની બસમાં જૈસલમેર જઈ રહ્યા હતા. ત્યારે NH-11 પર ગાડના ગામ નજીક એક ટ્રોલી સાથે અથડામણ થઈ હતી.
મિની બસના ફુરચે-ફુરચા ઉડ્યા
આ ટક્કર એટલી ભયંકર હતી કે, મિની બસના ફુરચે-ફુરચા ઉડી ગયા હતા. બસમાં સવાર લોકો પૈકી 5 લોકોના કમકમાટી ભર્યા મોત થયાં હતા.
આ ઘટનાને પગલે સ્થાનિકો તાત્કાલિક અસરથી દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી. હાલ કેટલાક ઘાયલોને તાત્કાલિક અસરથી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.