ઉત્તરપ્રદેશ પોલીસને હિન્દૂ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારી હત્યાકાંડને 24 કલાકની અંદર ઉકેલવાનો દાવો કર્યો છે. કમલેશ તિવારીના પુત્ર સત્યમે પિતાની હત્યાની તપાસ એનઆઇએથી કરાવવાની અપીલ કરી છે. રશીદ પઠાણ નામના વ્યક્તિ આ હત્યાકાંડનો મુખ્ય આરોપી છે.
પરિવાર અંતિમ સંસ્કાર માટે થયો તૈયાર
પરિવારના 2 સભ્યો માટે નોકરીની માંગણી કરી
હિન્દુવાદી નેતા કમલેશ તિવારીની હત્યા બાદ વિવાદ વધ્યો
યૂપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રવિવારે સાંજે કમલેશ તિવારીના પરિવારજનોની મુલાકાત કરશે અને સાથે જ તેમનું દુઃખ વહેંચવાનો પ્રયાસ કરશે. આ સમયે પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પરિવારને સુરક્ષા આપવામાં આવી છે. સીએમ યોગીના આ વચન બાદ પરિવાર અંતિમ સંસ્કાર કરવા તૈયાર થયો છે.
3 હત્યારાની કરવામાં આવી ધરપકડ
24 કલાકમાં જ કમલેશ તિવારી હત્યાકાંડના મુખ્ય આરોપી રશીદ પઠાણની ધરપકડ કરવામાં આવી છે. આ સાથે તેના સાગરિત અહમદ પઠાણ, મૌલાના મોહસિન શેખ અને ફૈઝાનની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.
કમલેશ તિવારીની હત્યાને લઈને સ્થાનિકોમાં છે રોષ
કમલેશ તિવારીની હત્યા અંગે પરિવારના સભ્યો અને સ્થાનિકોમાં ભારે નારાજગી છે. પોલીસ પોસ્ટમોર્ટમ બાદ શુક્રવારે મોડી રાત્રે કમલેશ તિવારીનો મૃતદેહ લઈને તેમના કાર્યાલય પર પહોંચી હતી. પરંતુ ત્યાં લોકોનો રોષ અને વિરોધ જોઈને પોલીસ મૃતદેહ સાથે તેમના પરત ફરી ગઈ. બાદમાં પોલીસે કમલેશ તિવારીનો મૃતદેહ લીધો હતો અને તેમના વતન સીતાપુરના મહમુદાબાદ જવા રવાના થયા હતા.
Sitapur: Family members of #KamleshTiwari who died after he was shot at in his office in Lucknow yesterday, in mourning. Mortal remains of Tiwari have reached his residence in Mahmudabad. pic.twitter.com/WqSsiYHxTg
લખનઉમાં શુક્રવારે કમલેશ તિવારીની ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. કમલેશ તિવારી ખુર્શીદબાગમાં તેમની ઓફિસમાં હતા કે મીઠાઇના ડબ્બા લઇને 2 લોકો તેમને મળવા આવ્યા હતા. કમલેશ તિવારી જાણ ન હતી કે તેની હત્યા થઈ શકે છે. કમલેશ તિવારીને પહેલા પિસ્તોલથી ગોળી મારી હતી, ત્યાર બાદમાં ગળું દબાવીને તેની હત્યા કરવામાં આવી હતી.
Lucknow: Body of #KamleshTiwari taken to his native place in Mahmudabad, Sitapur. Tiwari was shot at in his office in Lucknow, yesterday. pic.twitter.com/ju0QWOanC9
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કડક પગલાં લેવા જણાવ્યું
તે જ સમયે ચૂંટણી પ્રવાસથી પરત ફર્યા પછી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કમલેશ તિવારી હત્યા કેસ અંગે કડક વલણ બતાવ્યું છે. તેમણે ચીફ સેક્રેટરી અવનિશ અવસ્થી અને ડીજીપી ઓ.પી.સિંઘને તાત્કાલિક આ મામલે વિગતવાર અહેવાલ રજૂ કરવા સૂચના આપી છે.
Kamlesh Tiwari murder case: UP Chief Minister Yogi Adityanath has sought report from
Principal Secretary (Home) & Director General of Police (DGP). pic.twitter.com/vPIpo8yO7m
વરિષ્ઠ પોલીસ અધિક્ષક કલાનિથી નૈથાનીએ કહ્યું, "લાગે છે કે આ ઘટના પરસ્પર દુશ્મનાવટ હેઠળ કરવામાં આવી છે. આ કેસમાં 10 ટીમોની તપાસ કરવામાં આવી છે. સ્થળ ઉપર એક પિસ્તોલ મળી આવી છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે." આજુબાજુના તમામ સીસીટીવી કેમેરાની તપાસ કરવામાં આવી રહી છે."
હત્યારાઓની થઈ ઓળખ
એક વીડિયોમાં હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીના શંકાસ્પદ હત્યારાઓ સામે આવ્યા છે. આ વીડિયોમાં એક યુવતી પણ બે યુવાન પુરુષો સાથે જોવા મળી રહી છે. એક યુવાનના હાથમાં પોલિથિન છે. એવી શંકા છે કે આ પોલિથીનમાં મીઠાઇઓનો ડબ્બો છે. જેમાં હત્યારાઓ હથિયાર લાવ્યા હતા. જોકે પોલીસે શકમંદોની ઓળખ કરી લીધી છે. આ કેસના સંદર્ભમાં પોલીસે સુરતમાંથી 3 લોકોની ધરપકડ કરી છે. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે.