JNU સંચાલકોએ વિદ્યાર્થીઓ પાસેથી વિન્ટર સેમેસ્ટરનો સર્વિસ ચાર્જ નહી વસૂલવામાં નિર્ણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીનાં સંચાલકો તરફથી યુટિલિટી ચાર્જમાં પણ છુટ આપવામાં આવી છે. ત્યારે જાણીએ કે JNUમાં ફી કેટલી હતી અને કેટલી કરવામાં આવી હતી....
જવાહર લાલા નહેરુ યૂનિવર્સિટીએ કરેલો ફી વધારો પાછો ખેંચ્યો છે. વિદ્યાર્થીઓની ડિમાન્ડને જોતા યુનિવર્સિટી સંચાલકોએ આ નિર્ણય લીધો છે. ફી વધારાને ઓછો કરવા લેફ્ટિસ વિદ્યાર્થી સંઘ સતત વિરોધ પ્રદર્શન કરી રહ્યાં હતાં. યુનિવર્સિટી સંચાલકોએ નક્કી કર્યું છે કે વિદ્યાર્થીઓનાં વિન્ટર સેમેસ્ટરમાં સર્વિસ ચાર્જ વસૂલવામાં નહીં આવે. તેમજ યૂનિવર્સિટીએ નક્કી કર્યું છે કે વિદ્યાર્થીઓ પાસેથી યૂટિલિટી ચાર્જ પણ વસૂલવામાં નહીં આવે. વિદ્યાર્થીઓ પર યૂનિવર્સિટીએ 1700 રુ. સર્વિસ ચાર્જ લગાવ્યો હતો. પરંતુ, નવી જાહેરાત સુધી આ ચાર્જ વિદ્યાર્થીઓએ નહી ભરવો પડે. આ ખર્ચ યુજીસી ભોગવશે.
કેટલો ચાર્જ પહેલા વસૂલવામાં આવતો હતો
નવા રેટ મુજબ જનરલ કેટેગરીમાં આવનાર વિદ્યાર્થીઓને પાસે દર મહિને 600 રુપિયા ભરવાના હતાં. જ્યારે ડબલ રુમ માટે રુ 300 આપવા કહેવામાં આવ્યું હતું. બીપીએલ કેટેગરીમાં આવતાં વિદ્યાર્થીઓ પાસે સિંગલ રુમ રેટ દર મહિને 300 રુપિયા નક્કી કરાયા હતા. ત્યારે ડબલ રુમ માટે રૂ. 150 વસૂલવામાં આવવાનાં હતાં. પહેલા સિંગલ રુમનાં રુ 20 અને ડબલ રુમનાં રુ.10 વસૂલવામાં આવતાં હતાં.
નવા ફી વધારામાં યુટિલિટીમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. જે મુજબ જે બિલ આવતું તે ભરવું પડતું હતું. હવે આ ફેરફારને રદ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે પહેલા પણ આ ચાર્જ વસૂલવામાં આવતો નહોતો. જોકે તેને વધારીને રુ. 1700 કરી દેવામાં આવ્યો હતો. મેસનો ચાર્જ પહેલા 5500 રુપિયા હતો. જે વધારીને 12 હજાર કરી દેવામાં આવ્યો હતો. જે ફરીથી ઘટાડીને 5500 કરી દેવામાં આવશે.
મેડિકલ બિલમાં પણ વધારો થયો હતો
મેડિકલ બિલને વધારીને રુ. 500 કરવામાં આવ્યો હતો. જ્યારે કે આ બિલ પહેલાં વિદ્યાર્થીઓ પાસે વસૂલવામાં આવતું નહોતું. એકવાર ફરી આને રદ કરી દેવામાં આવ્યું છે. એસ્ટાબ્લિસમેન્ટ ચાર્જમાં પણ કોઈ ફેરફાર નથી થયો. પહેલાં તે 1100 રુપિયા હતાં અને અત્યારે પણ તે 1100 રુપિયા જ છે.
વિદ્યાર્થીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો
ફી વધારેને પાછો ખેંચી લેવામાં આવે તે માટે વિદ્યાર્થી સંગઠને ગુરુવારે સાંજે રાષ્ટ્રપતિ ભવન તરફ રેલી કાઢી હતી. આ દરમિયાન પ્રદર્શનકારીઓ અને પોલીસની વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. ભીડને વિખેરવા માટે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
વિદ્યાર્થીઓએ VCને હટાવવાની માંગણી કરી હતી
વિદ્યાર્થીઓની ડિમાન્ડ છે કે JNUનાં VC જગદીશ કુમારને હટાવવામાં આવે. આ જ માંગણીને લઈને પ્રદર્શનકારી રાષ્ટ્રપતિ ભવન તરફ જઈ રહ્યાં છે. તે દરમિયાન વિદ્યાર્થીઓને આંબેડકર ભવન પાસેથી ડિટેઈન કરવામાં આવ્યાં હતાં.
VCને હટાવવાએ સમસ્યાનું સમાધન નથી
HRD મંત્રાલયે બે શબ્દોમાં કહી દીધું હતું કે VCને હટાવવું એ કોઈ સમસ્યાનું સમાધાન નથી. HRD સચિવ અમિત ખરેએ ગુરુવારે કહ્યું કે મંત્રાલયનાં અધિકારી VC સાથે શુક્રવારે વિદ્યાર્થીઓનાં દાવાને લઈને વાત કરશે, જેમાં તેઓ કહેશે કે રિવાઈઝ ફી લાગુ કરવામાં ન આવે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે VCને હટાવવું એ સમાધાન નથી. તમણે વધુમાં જણાવતા કહ્યું હતું કે મંત્રાલયનાં અધિકારી VCને મળીને ફરીથી સ્ટુડન્ટ યુનિયનની મુલાકાત લેશે.
JNU પર હુમલો કરનારાઓની ઓળખ થઈ શકી નથી
આ બધાની વચ્ચે જવાહરલાલ નહેરુ વિશ્વવિદ્યાલય (JNU) કેમ્પર્સમાં બુકાનીધારી હુમલાખોરોને લઈને પોલીસે નિવેદન આપ્યું છે કે કેટલાંકની ઓળખ થઈ ગઈ છે. પોલીસનાં એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે જે ગ્રુપમાં કથિત રીતે JNU સંઘનાં સભ્યો પર હુમલો થયાની યોજના બનાવવામાં આવી હતી. તેવા બે વ્હોટ્સઅપ ગ્રુપોનાં 70 એડમિનની ઓળખ કરી છે.
ઉલ્લેખનીય છે કે હોસ્ટેલ ફી વધારાને લઈને લેફ્ટિસ વિંગનાં વિદ્યાર્થીઓ છેલ્લાં કેટલાય દિવસથી સતત પ્રદર્શન કરી રહ્યાં હતાં. પ્રદર્શન દરમિયાન વિદ્યાર્થીઓમાં સંઘર્ષ બાદ કેટલાક બુકાનીધારી લોકો કેમ્પર્સમાં ઘૂસી ગયા અને લેફ્ટિસ વિંગનાં વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી.