દિલ્હીમાં JNU કેમ્પસમાં મોડીરાતે થયેલી હિંસાના પગલે 19 વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ વિદ્યાર્થીઓને દિલ્હીની એમ્સના ટ્રોમા સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. અનેક વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી હોસ્પિટલ પહોંચ્યા અને કહ્યું કે ગુંડાઓએ પરિસરમાં પ્રવેશ કર્યો અને લાઠીઓથી હુમલો કર્યો છે. અનેક વિદ્યાર્થીઓના હાથ પગ તૂટ્યા છે.
JNU હિંસામાં અનેક વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત
19 વિદ્યાર્થીઓને કરાયા AIIMSમાં દાખલ
પ્રિયંકા ગાંધી અને સુભાષ ચોપડાએ લીધી મુલાકાત
JNUમાં વિદ્યાર્થીઓ પર થયેલા હુમલા બાદ તપાસને માટે દિલ્હી પોલીસે એક ખાસ ટીમ તૈયાર કરી છે. દિલ્હી પોલીસ કમિશ્નરે તપાસના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસ જોઈન્ટ કમિશ્નર શાલીની સિંહ તેની તપાસ કરશે, JNUમાં હિંસા પર ગૃહમંત્રી અમિત શાહે દિલ્હી પોલીસ કમિશ્નર પાસે પૂરી જાણકારીનો રિપોર્ટ માંગ્યો છે.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા બાદ પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ
Wounded students at AIIMS trauma centre told me that goons entered the campus and attacked them with sticks and other weapons. Many had broken limbs and injuries on their heads. One student said the police kicked him several times on his head.
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને મળ્યા બાદ પ્રિયંકાએ ટ્વિટ કર્યું કે એમ્સમાં ટ્રોમા સેન્ટરના વિદ્યાર્થીઓ મને જણાવ્યું છે કે કેટલાક ગુંડાઓ પરિસરમાં આવ્યા અને લાઠી અને હથિયારોથી હુમલો કર્યો છે. અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. એક વિદ્યાર્થીએ કહ્યું કે પોલીસે તેમના માથામાં અનેકવાર માર માર્યો છે.
અન્ય એક ટ્વિટમાં પ્રિયંકા ગાંધીએ લખ્યું છે કે આ સરકારની સૌથી મોટી તકલીફ છે જે પોતાના બાળકો પર હિંસાને ભડકાવે છે અને પરવાનગી આપે છે.
કેમ્પસમાં મોટી સંખ્યામાં પોલીસની વ્યવસ્થા
JNU પર હિંસાને લઈને ડીસીપી સાઉથ વેસ્ટ દેવેન્દ્ર આર્યાનું કહેવું છે કે વિશ્વ વિદ્યાલય પ્રશાસને પોલીસને JNU પરિસરમાં દાખલ થવાની પરમિશન આપી હતી. ત્યારબાદ પોલીસે અહીં પહોંચીને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી. ડીસીપી દેવેન્દ્ર આર્યાના આધારે જેએનયૂની સ્થિતિ હાલમાં કાબૂમાં છે. પોલીસે દરેક આવશ્યક મુદ્દા માટે પોલીસબળ તૈનાત કર્યું છે.
AIIMS Trauma Centre official: 18 people from Jawaharlal Nehru University (#JNU) have come to AIIMS Trauma Centre with complaints of bleeding in head, abrasions among others. Investigations are underway #Delhihttps://t.co/FJQtQuQ1eopic.twitter.com/BMhz09lXpl
ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને એમ્સ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. પોલીસનું કહેવું છે કે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓના નિવેદનને લઈને કાર્યવાહી કરવામાં આવશે.