જેએનયુ (JNU) મામલામાં દિલ્હી પોલીસે જે 9 વિદ્યાર્થીઓની ઓળખ કરાઇ છે તેમની સોમવારે પૂછપરછ કરવામાં આવશે. તમામ વિદ્યાર્થીઓને અલગ-અલગ સમય આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને પૂછપરછ માટે તેમને દિવસ અને સમય પૂછવામાં આવ્યો, તેઓએ ક્રાઇમ બ્રાન્ચની ઓફિસ નહીં આવવું પડે, તેઓ જ્યાં મહિલા ઓફિસર તેમની પૂછપરછ કરશે.
તમામ વિદ્યાર્થીઓને અલગ-અલગ સમય આપવામાં આવ્યો છે
તેઓ કોઇપણ સંગઠન-વામપંથી અથવા દક્ષિણપંથી સંબંધિત નથી
WhatsApp સમૂહ 'યૂનિટી અગેન્સ્ટ લેફ્ટ' ની તપાસ કરવામાં આવી રહી છે
સૂત્રોએ આ જાણકારી આપતા બતાવ્યું છે કે, જે લોકોની ઓળખ કરવામાં આવી છે, તેઓ કોઇપણ સંગઠન-વામપંથી અથવા દક્ષિણપંથી સંબંધિત નથી. તેઓએ જણાવ્યું કે, જે લોકોની ઓળખ કરવામાં આવી છે, તેઓ સેમેસ્ટર રજીસ્ટર પ્રક્રિયાના પક્ષમાં હતા અને ખુદનું રજિસ્ટ્રેશન કરાવવા ઇચ્છતા હતા.
પોલીસે શુક્રવારે કહ્યું હતું કે, WhatsApp સમૂહ 'યૂનિટી અગેન્સ્ટ લેફ્ટ' ની તપાસ કરવામાં આવી રહી છે. એવુ માનવામાં આવી રહ્યું છે કે, જેએનયુ (JNU) કેમ્પસમાં હિંસા વધવા દરમિયાન આ સમૂહને બનાવવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસના પ્રવક્તા એમએસ રંધાવાએ કહ્યું કે, જેએનયુ (JNU) હિંસામાં ખોટી સૂચના સર્કુલેટ થઇ રહી છે. બ્રીફિંગનો હેતુ એટલો જ છે કે સત્ય સામે લાવીએ, મામલાની તપાસ ચાલી રહી છે.