જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)માં રવિવારે રાત્રે થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે. સૂત્રો મુજબ, વિદ્યાર્થીઓ પર હુમલો કરનારા બુકાનીધારીની ઓળખને લઇને પોલીસને મહત્વપૂર્ણ પુરાવા મળ્યા છે. જલ્દી જ પોલીસ આ મામલામાં ખુલાસો કરી શકે છે.
JNUમાં રવિવારે રાત્રે થયેલી હિંસાના મામલામાં દિલ્હી પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી
JNUમાં વધારવામાં આવેલી હોસ્ટેલ ફીને પાછી લેવા બાબતે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે
જેએનયુ યુનિવર્સિટીમાં રવિવારે સાંજે થયેલી હિંસા બાદ હવે આખા પ્રકરણમાં ત્રણ એફઆઇઆર નોંધવામાં આવી છે, પરંતુ ના તો કેમ્પસમાં લાકડી-ડંડા ચલાવનાર હુમલાખોરોને પોલીસ પકડી શકી છે અને ના એ પહેલા સર્વર રુમમાં તોડફોડ કરનાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. એવામાં દિલ્હી પોલીસને લઇને ઘણા પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે.
જોઇન્ટ કમિશનર શાલિની સિંહની આગેવાનીમાં એક ટીમનું ગઠન કરવામાં આવ્યું છે, જેમણે આ મામલાની તપાસ કરી રહી છે. નોંધનીય છે કે, જેએનયુ (JNU)માં વધારવામાં આવેલી હોસ્ટેલ ફીને પાછી લેવા બાબતે ઘણા સમયથી આંદોલન ચાલી રહ્યું છે. જેએનયુ વિદ્યાર્થી સંઘ અને લેફ્ટ વિંગ સાથે જોડાયેલા સંગઠન હોસ્ટેલ ફીની વિરુદ્ધ જોરદાર વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન જેએનયુ તંત્રે 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરીની વચ્ચે નવા સત્ર માટે રજિસ્ટ્રેશનની તારીખ નક્કી કરી દીધી.
રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન વ્યવસ્થા કરવામાં આવી તો વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ સર્વર રુમ ઘેરી લીધો. જેએનયુ તંત્રનો આરોપ છે કે, સર્વર રુમમાં તોડફોડ કરવામાં આવી અને ત્યાં હાજર સુરક્ષાકર્મીઓ સાથે મારપીટ પણ કરવામાં આવી. આ સંબંધમાં કોલેજ તંત્રની ફરિયાદ પર વસંત કુંજ પોલીસ સ્ટેશનમાં બે એફઆઇઆર નોંધવામાં આવી. જેમા વિદ્યાર્થી સંઘ અધ્યક્ષ આઇશી ઘોષનું નામ પણ છે.
હિંસા મામલે પોલીસને 11 ફરિયાદ મળી છે, દિલ્હી પોલીસના ડીસીપી સાઉથ વેસ્ટ દેવેન્દ્ર આર્યાએ જણાવ્યું કે, તેઓેને કુલ 11 ફરિયાદ મળી છે. જેમા 7 વામપંથી, 3 દક્ષિણપંથી અને 1 પ્રોફેસરની ફરિયાદ સામેલ છે. તમામ ફરિયાદને ક્રાઇમ બ્રાન્ચની પાસે મોકલી દેવામાં આવી છે.
જ્યારે JNUSU અધ્યક્ષ આઇશી ઘોષએ જણાવ્યું કે, હું એ ઘટનાની ફરિયાદ નોંધાવી રહી છું, જેમા ભીડે હુમલો કરવા, ડરાવવા અને મારી હત્યા કરવાનું ષડયંત્ર રચ્યું અને એ ઘટનાને બની, જેના માટે હું આપને એફઆઇઆર નોંધાવવા અને દોષિતોની જલ્દી જ ધરપકડ કરવા આગ્રહ કરું છું.